________________
- ૧૭૪ને ધ્યાન અને જીવન F એના પર કાપ મૂકવો જ પડશે, ને એ બાહ્ય તપથી જ થશે. નહિતર તો અનિષ્ટ વિષય મૂકીને ઈષ્ટ તરફ મન થાય છે, ઈષ્ટ વિષયો તરફ ઈદ્રિયો જાય છે, ઈષ્ટ લેવા કાયા જાય છે, એ ઈષ્ટના રાગ અને અનિષ્ટના દ્વેષને લીધે છે, એ સમજી જ રાખવું પડે. બાહ્ય તપના અભાવે આર્તધ્યાન:
ત્યારે આર્તધ્યાનનું જન્મસ્થાન રાગ-દ્વેષ છે, એ વાત તો વિચારાઈ ગઈ છે. એટલે ભલે ને નિશ્ચયનય પકડવાનો ચાળો રાખ્યો અને આત્મચિંતન-આત્મલક્ષ રાખવાનું માની લીધું, છતાં જે બાહ્ય તપ નથી, ભોજનટંક પર કાપ નથી, રસત્યાગ નથી, દ્રવ્યસંકોચ, વૃત્તિસંકોચ અને ધર્મક્રિયાનાં કષ્ટ કરવા નથી, એટલે તો પછી સુખશીલતાથી ઈષ્ટ-અનિષ્ટના રાગ-દ્વેષ ઊભા જ રહેવાના અને એના પર આર્તધ્યાન થયાં જ કરવાનાં.
બાહ્ય તપ નહિ છતાંય આર્તધ્યાનથી બચાવ કમમાં કમ બાહ્ય તપને મહત્ત્વ આપવાથી જ મળે.
એમાં ય ખૂબી આ, કે હજી ય જે ભવી જીવ આ બધા બાહ્ય તપને કર્તવ્ય માનતો હશે, એને અતિ આવશ્યક સમજતો હશે અને પોતે એ ન આચરવા બદલ ભારે ખેદ અનુભવતો હશે, એ તો જોયા કરશે કે “આ અહીં મારો રાગ કામ કરે છે, ને તહીં હૈષ ઊભો છે અને એ જ બે રાગ અને દ્વેષ સંસારના મૂળ કારણ છે. એ ભવવર્ધક છે, ચારે ગતિમાં ભમાવનારા છે. માટે એ રાગ-દ્વેષ પોષાતા જાય એવાં આર્તધ્યાન મારે કરવાં નથી. આર્તધ્યાન શું કામ કરું ? એથી કાંઈ મનગમતી વસ્તુ મળી જતી નથી, તેમ કાંઈ ગમે તેટલી અણગમતી વસ્તુ ટળી જતી નથી. કે આવતી અટકતી નથી. એ બધું તો કાંઈક પુરુષાર્થને આધીન અને મુખ્યપણે તો ભાગ્યને આધીન છે. ત્યાં વચમાં ફોગટિયાં આર્તધ્યાનને શું કામ ઘાલું ? છતાં ય જે આર્તધ્યાન નડી જાય છે એ ઈષ્ટની ગુલામીનાં કારણે છે. માટે એનો શક્ય ત્યાગ કરવાનું કરું ?' આમ નજર રહેવાથી આર્તધ્યાનથી શક્ય બચવાનો પ્રયત્ન રહેશે.
ઢોંગી અધ્યાત્મ ક્યાં ભૂલે છે?
પણ જેને બાહ્ય તપ ઉપયોગી જ લાગતો નથી અને એકલી નિશ્ચયની અને આત્મસ્વરૂપના લક્ષની મોટી મોટી વાતો કરવી છે, એવા ઢોંગી અધ્યાત્મીને ઈષ્ટથી બચવાનો પ્રયત્ન જ શાનો? અરે ! એનું લક્ષ પણ ક્યાં ? એ તો માનતો જ નથી કે “આ ઉપવાસાદિ તપ કરવો જોઈએ, આ દ્રવ્ય સંકોચના અને શક્ય રસત્યાગના નિયમ રાખવા જ જોઈએ, આ ધર્મક્રિયાના કષ્ટ ઉઠાવવાં જ જોઈએ. અમુક સમય મૌન, પાપનું બોલવાનો આટલો આટલો ત્યાગ, પાપની કાયિક ક્રિયા આટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org