SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ( મુત્તી તવ સંજમે આ બોધબ્બો...” એમાં ‘તવ' એટલે તપ લીધો છે. એટલે બાહ્ય તપ એ સંવર પણ છે જ. અહીં બાહ્ય તપ ઉડાવનાર કહે છે પ્ર. - સ્વાધ્યાય આદિથી ભાવ- આશ્રવ રોકાય ને ? તો પછી બાહ્ય તપ નહિ તેથી દ્રવ્ય-આશ્રવ ન રોકાયા તેથી શો વાંધો? ઉ. - ભાવ આશ્રવ એ આત્માના પરિણામ રૂપ છે. સ્વાધ્યાય-જાપ-ધ્યાનથી એ રોકાવાને અવકાશ છે, પરંતુ તે બાહ્ય તપના સહારે રોકાય. જે બાહ્ય તપ નથી, તો ઈદ્રિયોની અવિરતિ ખુલ્લી , આહારમમત્વ-કાયમમત્વ વગેરે લોભ કષાય ખુલ્લા છે અને સંલીનતાના અભાવે પ્રમાદ ખુલ્લો છે. આ અવિરતિ, કષાય અને પ્રમાદ એ આત્માના પરિણામ રૂપ ભાવઆશ્રવ જ છે, તેથી તો ભાવઆશ્રવ ખુલ્લા રહ્યા, બંધ ક્યાં રહ્યા ? પછી એકલા સ્વાધ્યાય-ધ્યાનથી શો સંતોષ રખાય ? કર્મ પ્રવાહ આવતો કેમ અટકે ? બાહ્ય તપ નહિ, તો શાનું જોર? : માટે બાહ્ય તપની ઉપેક્ષા કરવામાં બચાવ મળે એમ નથી. વિચારવાનું તો એ છે કે જો બાહ્ય તપની પરવા નથી, તો સ્વાધ્યાય-ધ્યાન-જાપ કયા જોરદાર થઈ શકવાના હતા ? કેમકે બાહ્ય તપ નથી એટલે (૧) ખાનપાનની, ઈષ્ટ દ્રવ્યોની અને મનગમતા રસોની વૃત્તિઓ જાગતી રહેવાની ! એમ, (૨) કાયાની સુખશીલતા, આરામી અને કષ્ટમાંથી ભાગેડુ વૃત્તિ પણ સચેત રહેશે. (૩) એના અંગેના વિચારો મનને ડહોળ્યા કરવાના. ત્યાં માનેલો સ્વાધ્યાય કે જાપ-ધ્યાન સબળ ક્યાંથી ચાલવાના ? એ તો એ પ્રકારના બાહ્ય તપના ચાલુ અભ્યાસથી ઈદ્રિયો અને મનને શાંત કર્યું હોય, આત્માને નિયંત્રિત કર્યો હોય, તો જ સ્વસ્થ મન સ્વસ્થ આત્મા સ્વાધ્યાય-જાપ-ધ્યાનમાં નિશ્ચળપણે અને તન્મય થઈને પ્રવર્તી શકે. બાહ્ય તપ નિંદનારાને પ્રશ્નો : માટે બાહ્ય તપ અતિશય જરૂરી છે. એને પશુના જેવું કાયકષ્ટ કરી નિંદનારા અને નિરુપયોગી કહેનારાને એક સવાલ છે કે જે તમે આત્મતત્ત્વનું ચિંતન અને ધ્યાનના ખરેખરા ખપી છો તો આત્મા તો મૂળ સ્વરૂપે રાગાદિ વિનાનો છે. એને સારા-ખોટા, કડવા-મીઠા, સુંવાળા-બરછટ વિષયોની પરવા ન હોય. તો પછી તમે (૧) દૂધ-પૂરી જ કેમ લો છો, કરિયાતુ-પૂરી કેમ નથી લેતા ? (૨) મોટરમાં જ કેમ ફરો છો ? પગે ચાલીને જ કેમ નથી પ્રવાસ કરતા ? (૩) ઝંપયિા મકાન કે શિલા ઉપર જ કેમ નથી બેસતા ? આલીશાન ઈમારતમાં જ કેમ રહો છો ?... તમારો આવો આવો ઢગલાબંધ એકપક્ષીય વ્યવહાર તમારો રાગ સૂચવે છે. એ હટ્યા વિના આત્મા શુદ્ધ થશે ? અને રાગને હટાવવો-મિટાવવો હશે તો રાગના ચાળા કરાવનાર એ બાહ્ય ઈષ્ટ વિષયો પર કાપ મૂક્યા વિના ચાલશે ? એ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy