________________
(૧ ૭ર
ધ્યાન અને જીવન (૨) આ પાપ પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ ન ઉઠે એ માટે એના મુળમાં કામ કરતી આહાર સંજ્ઞા, વિષયસંજ્ઞા વગેરે સંજ્ઞાઓ કચર્યે જવાની, જેથી ભાવી પાપો અટકે.
ભગવાને બાહ્ય તપથી આ બંને કામ કર્યા. તેથી જ એ વીતરાગ સર્વજ્ઞ થયા, માટે આ ખૂબ યાદ રાખો કે,
બાહ્ય તપ માત્ર કર્મના ક્ષય માટે જ નથી, કિન્તુ નવાં કર્મોને લઈ આવનાર જે આશ્રવો-ઈન્દ્રિયની આસક્તિ, હિંસાદિની અવિરતિ, શરીર મમત્વ અને આહાર-મમત્વ રૂપી કષાય, તથા અશુભ મન-વચન-કાયયોગ-એ આશ્રવોને રોકવા માટે પણ છે.
બાહ્ય તપથી કેવી કેવી રીતે આશ્રવો રોકાય??
આશ્રવો પાંચ છે – “૧. ઈન્દ્રિય, ૨. કષાય, ૩. અવ્રત, ૪. યોગ, ૫. ક્રિયા.” (૧) ઈન્દ્રિયોને એના વિષયોમાં જવા-રાચવાની જેટલી જેટલી છૂટ, એટલો આશ્રવ છે. વૃત્તિ સંક્ષેપ અને રસત્યાગથી એના પર કાપ પડે. જો એ તપ નહિ, તો એનો અર્થ એ કે ઈન્દ્રિયોને છુટી રાખવી છે. (૨) “કષાયો’ એટલે રાગ-દ્વેષ વગેરે થાય તે. “અનશન” એટલે કે ઉપવાસ એકાશન આદિ તપ, રાત માટે ચોવિહાર આદિ પચ્ચખાણ અને દિવસના ખાનપાનના ટંકનું નિયમન. એનાથી ખાવા પર રાગ અંકુશમાં આવે. જો એ નહિ, તો એનો અર્થ એ કે રાગની બોલબાલા છે. એમ ધર્માર્થે કાયકષ્ટ'થી કાયા પરનો રાગ-કષાય કંઈક દબાય. જે એ કાયકષ્ટથી ભાગેડાપણું હોય, તો એનો અર્થ એ કે એ રાગકષાય સારી રીતે મહાલતો છે. સંલીનતાથી મન-વચન-કાયાના અશુભ યોગ (પ્રવર્તન) દબાય. પણ જો સંલીનતા નહિ, તો એ અશુભ યોગો મહાલતા રહેવાના. એમ બાહ્ય તપ આ આશ્રવોને રોકનારા બને છે, તેથી નવાં કર્મો બંધાતા અટકે અને સંજ્ઞાઓ-વાસનાઓ જરૂર મોળી પડતી જાય. જીવનમાં જે આ બાહ્ય તપ કરતો નથી, ને સ્વાધ્યાય-ધ્યાન-જાપ કરે છે, તો એને એ આશ્રવો ક્યાંથી અટકવાના? ઈદ્રિય-અવિરતિ શે છુટવાની ? અહીં બે પ્રશ્ન થાય - (૧) બાહ્ય તપ એ સંવર કેમ? (૨) સ્વાધ્યાયમાં ભાવ આશ્રવ કેમ અટકે ??
પ્ર. - જો બાહ્ય તપથી આશ્રવ અટકે છે, તો એને નિર્જરા તત્ત્વમાં કેમ ગણ્યો ? સંવરમાં કેમ નહિ ? આશ્રવ-નિરોધ એ સંવર.
ઉ. - તપને સંવરતત્ત્વમાં પણ ગણેલો જ છે. જુઓ સંવરમાં ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ આવે છે, એમાં તપનો પણ સમાવેશ છે. “તે મદ્દવ અર્જાવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org