________________
ધ્યાન અને જીવન (૧૭ સુંવાળાશથી કર્મ છુટવાને બદલે કેઈ કર્મોના ઝુંડ વળગતાં ચાલશે. કર્મને શરમ નથી. એકપણ દરવાજો ખુલ્લો રહ્યો કે એ પેસી જવાનાં. “અનશન વગેરેને બદલે છૂટથી ખાવાનું રાખ્યું, દ્રવ્યસંક્ષેપ ને રસત્યાગને બદલે મળે એટલા દ્રવ્ય ખાવાનું ને મળે એટલી વિગઈઓ ઉડાવવાનું રાખ્યું, ઈરિયાવહિય-પડિક્કમણું વગેરે બેઠા બેઠા કરી કાયકષ્ટને આઘો રાખવાનું કર્યું, વાતચીતો-છૂટથી ને બેઠક આરામથી રાખી સલીનતા આવી રાખવાનું કર્યું. જે આ બધું કર્યું તો ભારોભાર કર્મોને આવવાના એ દરવાજા છે, એટલે આત્મામાં ભારોભાર કર્મ આવ્યા વિના રહે ?
એકલા સ્વાધ્યાયમાં કયા આશ્રવ ખુલ્લા ? ઈન્દ્રિયોની અવિરતિ બાહ્ય તપથી અટકે :
જોજો હોં, સ્વાધ્યાય એ તપ છે, નિર્જરા તત્ત્વ છે, એથી કર્મક્ષય થશે, પરંતુ એકલા સ્વાધ્યાયમાં પેલા આશ્રવ તત્ત્વો, ખાવાની છૂટ, રસની છૂટ, આરામી, વાતચીતો, ધર્મકષ્ટ-પરિસહને બદલે સુંવાળાશ... વગેરે આશ્રવો ખુલ્લા છે. એથી તો ભરપૂર કર્મો બંધાતા રહેવાનાં ! તેનું શું? શાસ્ત્ર હિંસાદિની અવિરતિ કહી છે, એમ ઈન્દ્રિયોની પણ અવિરતિ કહી છે અને બાહ્ય તપ મુકીને સુંવાળાશ-સુખશીલતા ભોગવવી, એ ઈન્દ્રિયોની અવિરતિ છે. એથી જંગી કર્મોની અને અશુભ અનુબંધોની આવક થાય, એનાથી કેમ બચાશે ? એકલો સ્વાધ્યાય કાંઈ એને અટકાવી નહિ શકે, તેમ એ બંધાયેલાં પાપકર્મો અને અશુભાનુબંધોનો નાશ નહિ કરી શકે. માટે ભરોસે રહેતા નહિ.
ભગવાન જેવા ને તો સ્વાધ્યાય-તત્ત્વચિંતન આપણા કરતાં જબરદસ્ત ચાલેલું છતાં બાહ્ય તપની એમને ય જરૂર લાગી. શા માટે ? આટલા જ માટે કે બાહ્ય-આભ્યન્તર તપથી જુનાં કર્મોનો નિકાલ તો કરવાનો જ છે,
પરંતુ
નવાં કર્મ ન આવે એ માટે પણ બાહ્ય તપ દ્વારા અશુભ યોગ અને ઈન્દ્રિયોની અવિરતિને રોકવાની જરૂર છે.
બાહ્ય તપ રાખે તો અશુભ યોગરૂપ-આશ્રવ અને ઈન્દ્રિય-અવિરતિ રૂપ આશ્રવ રોકાય.
બાહ્ય તપ દ્વારા આહારાદિ સંજ્ઞાઓને કચડી નાખી શકાય. તેથી પછી એ સંજ્ઞાઓ ઉપર ઊઠતાં દુષ્કૃત્યોને ય તિલાંજલિ મળી જાય.
આત્મા પર પાપકર્મ ચોંટતા અટકાવવા માટે અહીં બે કામ કરવાના છે -
(૧) પાપ પ્રવૃત્તિઓ બંધ કરવાની, ઈન્દ્રિયોની અવિરતિ (છૂટ) ને પોષે એવી પ્રવૃત્તિ પ્રતિજ્ઞાથી બંધ, જેથી નવાં કર્મ આવતાં અટકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org