SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ધ્યાન અને જીવન ચોંટીને રહેલાં જુનાં કર્મોનું શું ? એ કાંઈ ભોગવી ભોગવીને કાઢ્યું પાર ન આવે. અસંખ્ય કાળનાં કર્મો આ ટુંકાશા જનમમાં માત્ર ભોગવાયે શે ખૂલ્યે ? તેથી કહો - કર્મોનો વિશેષ નિકાલ તો તપથી જ થાય. માટે શાસ્ત્રે ધમ્મો મંગલ મુક્કિô, અહિંસા-સંજમો-તવો' ધર્મ અહિંસા-સંયમ-તપ એમ ત્રણ પ્રકારે કહ્યો. માત્ર અહિંસા અને સંયમ એમ બે જ પ્રકારનો ધર્મ ન કહ્યો. એની સાથે તપ પણ જોઈએ જ. પ્ર. અહિંસા જુદી કેમ કહી ? સંયમમાં અહિંસા ન આવે ? ઉ. - આવે, પણ અહિંસાને પ્રધાન બનાવવા એને જુદી કહી. બધો ય સંયમ અહિંસાના ઉદ્દેશથી છે, અહિંસા માટે છે. જો અહિંસાનું પાલન નહિ, તો સત્ય એ પણ સંયમ નહિ, ને બ્રહ્મચર્ય એ પણ સંયમ નહિ. સાચું તો બોલે પણ એ જો જીવઘાતમાં નિમિત્ત બનતું હોય તો એ સંયમ શાનું ? એમ બ્રહ્મચર્ય તો પાળે, પરંતુ રોગિષ્ઠ છે અને ડાક્ટર વૈદ્ય કહે છે કે બે વરસ બ્રહ્મચર્ય પાળો તો રોગ જશે, સશક્ત થાશો, પછી સારી રીતે જીવી શકશો, ને સંસારમુખ ભોગવી શકશો', એટલે બ્રહ્મચર્ય પાળે, તો એ સંયમધર્મ શાનો ? સારી રીતે સંસાર સુખ ભોગવવાં એટલે હિંસા-આરંભ-સમારંભ સારી રીતે ચાલવાનાં. આના માટે હાલ બ્રહ્મચર્યપાલન કરે એને સંયમધર્મ શી રીતે કહેવાય ? એમ બહારમાં સારા દેખાઈ સારા સ્વાગત મેમાનગીરી મેળવવા માટે ઈન્દ્રિય નિગ્રહ કરે, તો એ સંયમધર્મ શાનો ? એમાં તો હિંસાને પોષણ મળવાનું. માટે કહો સંયમધર્મ અહિંસાનો પોષક જોઈએ. ધર્મ ત્રણ પ્રકારે અહિંસા, સંયમ અને તપ. આમાં અહિંસા-સંયમ ઉપરાંત તપને પણ ખાસ સ્થાન આપ્યું, તે એ હિસાબે કે જેમ અહિંસા-સંયમથી નવાં કર્મ આવતાં અટકે, તેમ તપથી જુનાં જંગી કર્મોનો ફેંસલો થાય, નિકાલ થાય ! બોલજો, તમારા જીવનમાં તપને સ્થાન કેટલું ? તપને અગત્યતા કેટલી અપાય છે ? - તમે સાધુ હશો તો કહેશો “અમે આભ્યન્તર તપ સ્વાધ્યાય કરીએ છીએ ને ? અને શાસ્ત્ર પણ કહે છે, કે સ્વાધ્યાય જેવો તાપ થયો નથી, થવાનો નથી. આભ્યન્તર તપ બાહ્ય કરતાં વધુ મહત્ત્વનો છે.’’ પરંતુ આટલું જ જુઓને કે પ્રભુ મહાવીર ભગવાનને એકલો સ્વાધ્યાય કરવાનું ને ખાઈ પીને ધ્યાન ધરવાનું નહોતું આવડતું ? એમણે શા સારુ સાડા અગિયાર વર્ષનાં અનશન-વૃત્તિ સંક્ષેપ-રસત્યાગ કર્યા ? શા સારુ ઘોર પરિસહનાં કષ્ટ ચાહીને સહ્યાં ? કેમ સતત કલાકોના કલાક કાયોત્સર્ગમાં રહી સંલીનતા કરી ? ભૂલશો નહિ, સ્વાધ્યાયના ઓઠા હેઠળ એ બધું બાજુએ મૂકી સુંવાળું જીવન જીવશો એમાં ઠગાશો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy