________________
ન ધ્યાન અને જીવન - પારણાના યાને ખાવાના દિવસ માત્ર ત્રણસો ઓગણ પચાસ ! એટલે એક વરસ જેટલા પણ દિવસ નહિ. તો ઉપવાસ સાડા અગિયાર વરસથી ય વધુ થયા ને ? છ-છ મહિના સુધીના પણ સતત ઉપવાસ પ્રભુએ કર્યા ! સાડા બારમાંથી સાડા અગિયાર વર્ષ અનશન એટલે કેટલો તપ?
એટલા ઉપવાસ જ, એટલે એમાં સંપૂર્ણ ઊનોદરી, સંપૂર્ણ વૃત્તિ સંક્ષેપ અને સંપૂર્ણ રસત્યાગ તો થઈ જ ગયો ને ? ત્યારે
મહાવીર પ્રભુએ કાયકષ્ટ કાયકલેશ કેટલો કર્યો ? છ-છ મહિનાના સતત ઉપવાસ છતાં નિયતક્રમ મુજબનો વિહાર ચાલુ ! એમાં વળી સુધાપરિસહ, તૃષાપરિસહ, શીતપરિસહ, ઉષ્ણપરિસહ વગેરે પરિસપોના કષ્ટ સાડા બાર વરસ સુધી ચાલુ ! એમાં ય દુષ્ટ દેવતાઓ, અનાડી માણસો અને અજ્ઞાન કૂતરા વગેરે તામસી પશુઓના ભયંકર ઉપસર્ગ-ઉપદ્રવનાં ઘોર કષ્ટ પણ પ્રભુએ આવકાર્યા !
ત્યારે પ્રભુએ સંલીનતા-તપ કેવો કર્યો? સાડા બાર વરસ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન છાયા હો.”
સાડા બાર વર્ષ સુધી શું દિવસ કે શું રાત, વીર ભગવાન જમીન પર પલાંઠી માંડીને બેઠા ય નહિ, પછી સુવાની તો વાત જ ક્યાં ? માત્ર દિવસના ત્રીજા પ્રહરમાં આહાર-વિહાર-નિહાર સિવાય દિવસ-રાત કાઉસ્સગ્ન-મુદ્રાએ રહ્યા ! ખડા ખડા જ ધ્યાનમાં ! શરીર બહુ થાકે તો થોડીવાર ગોદોહિકા-આસને, તે પણ સ્થિર ધ્યાનમાં જ રહ્યા. વિચારો સંલીનતા કેવી ! મન-વચન-કાયાને સંગોપી રાખવાનું કેવું અદ્ભુત !
બાહ્ય તપ જો નિરર્થક હોત તો પ્રભુ એ શું કામ કરત? યા તપથી જે માત્ર પુણ્ય અને સ્વર્ગીય સુખ-સમૃદ્ધિ જ મળતી હોત, તો પ્રભુને તો એ જોઈતી નહોતી, પછી શું કામ તપ કરત ? માટે કહો, પ્રભુને તો સર્વકર્મ-ક્ષય કરી સ્વાત્માને તદ્દન નિર્મળ અને મુક્ત કરવો હતો, એ કામ તપથી સિદ્ધ થાય, માટે એમણે જંગી તપ કર્યો. તેમાં ય ધ્યાનાદિ આભ્યન્તર તપની સાથે ઉપવાસાદિ બાહ્ય તપ એટલા માટે કર્યા કે
બાહ્ય તપથી આભ્યન્તર તપને પુષ્ટિ મળે છે. પ્ર. - સંયમ-સામાયિક-ચારિત્રથી કર્મ નાશ ન પામે?
ઉ. - કર્મ નાશ પામે, પરંતુ તે તો તેમાં રહેલા નિર્જરાતત્ત્વ યાને બાહ્યાભ્યન્તર તપના અંશના લીધે. બાકી ચારિત્ર મુખ્યત્વે તો સંવરતત્વ છે. એમાં કર્મ આવવાના દરવાજા બંધ થાય. “સંવર' એટલે આશ્રવ-નિરોધ, અર્થાત કર્મબંધના હેતુઓની અટકાયત, એથી નવાં કર્મ બંધાતાં અટકે. પણ આત્મા પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org