SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ * ૨૫. મોક્ષાર્થીને બાહ્ય તપનું મહત્ત્વ WHIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIll ખાઉકલા રોગી જેવી જીવનદશા !: અજ્ઞાન મૂઢ જીવ પૂર્વ ભવોનાં કઈ પાપકર્મોને લીધે કેટલી ય પ્રતિકુળતા ભોગવતો હોય છે. મનનું ધાર્યું કેટલું ય નથી નીપજતું. કેટલીય અણગમતી આપત્તિઓ આવી પડી ભોગવવી પડે છે. છતાં એ પામરને એ કર્મો તરફ દષ્ટિ જ નથી જતી! કર્મોનો કોઈ વિચાર જ એને નહિ ! ખાઉકલા માણસને રોગો ચાલ્યા કરે છતાં એને એ ખાઉકલાપણા પર દૃષ્ટિ જ નહિ કે “આના લીધે હું રોગી બન્યો રહું છું.” એ તો કહેશે – “આપણું પુણ્ય ઓછું એટલે શરીર સારું ન રહે.” અથવા કહેશે - “આજના ઘી-દૂધ-અનાજ વગેરેમાંથી કસ ગયા, તકલાદી માલ બની ગયા, એટલે પછી એના પર શરીર શી રીતે સારું રહે ? કેવી અજ્ઞાન દશા છે ? “અલ્યા ખાવાનું ઓછું કર, ભારે ચીજ ખાવાની બંધ કર, પછી જો શરીર સારું ચાલે છે કે નહિ ?' આ એને કોણ કહે ? અને કોઈ કહે તો ય એ માને શાનો ? બસ મૂઢ જીવની પણ આવી જ દશા છે. એ કર્મથી દુઃખી છતાં કર્મ સામે જોવા તૈયાર નથી ! ગુરુઓ સમજાવે તો ય તે માનવા તૈયાર નથી ! પરંતુ ભૂલશો નહિ – કર્મના થોક સામે આંખમિંચામણા કરવા માત્રથી કર્મ એનું કામ છોડી નહિ દે. કર્મ તો જીવને ચારે બાજુથી ઘેરી લે છે. એક વાતની નહિ, અનેક વાતની અગવડ તકલીફ કષ્ટ ઊભા કરે છે. માટે કર્મ સામે જોવાની જરૂર છે ને અસંખ્ય જનમના આત્મા પર લદાયેલ કર્મ તપથી હેઠા ઉતારવા જેવાં છે. એ તપ અહીં થઈ શકે. પ્ર. - તપથી કર્મ નાશ પામે એમાં પ્રમાણ શું? ઉ. - તપની વિરુદ્ધ દશામાં ચાલવાથી કર્મ ઊભાં થયાં છે, તો સહજ છે કે તપથી એનો નાશ થાય. દા.ત. ખાવાની ભૂલથી તાવ આવ્યો તો એ ખાવાનું બંધ કરવાથી ચાલ્યો જાય છે ને ? એમ ખાઉં ખાઉંની સંજ્ઞાથી કર્મ ઊભાં થયાં તો હવે અનશન-વૃત્તિ સંક્ષેપ વગેરે તપથી નાશ પામે એ સ્વાભાવિક છે. બાકી તો જુઓને કે જીવો આ સંસારથી છૂટીને મોક્ષ શી રીતે પામ્યા છે? મહાવીર પ્રભુનો તપ. ભગવાન મહાવીર સ્વામી જેવાએ પણ ઘોર તપ કેટલો કર્યો? પ્રભુનો સાડા બાર વરસનો સાધનાકાળ એમાં ઉપવાસ કેટલા ? અને ખાવાના દિવસ કેટલા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy