________________
ધ્યાન અને જીવન બીજી ગતિમાં કેમ શક્ય નહિ ? :
દેવગતિમાં તો ભોગની લીલા છે. પશુ-પંખીપણામાં વિવેક જ નથી. નરકમાં પરાધીનપણે ઘોર દુઃખ સહવાનાં છે. સ્વાધીનપણે સ્વેચ્છાએ વિવેકપૂર્વક આત્મહિતાર્થે ઉગ્ર ચારિત્ર સુધીનાં કષ્ટ સહવાનું માનવકાયાએ બની શકે છે. આવી મહા મોંધેરી કાયાને સંસારની લાલચો માટે તો, જોઈએ તેટલાં કષ્ટમાં ગદરાય અને ધર્મ માટે આત્મહિતની વાત આવે ત્યાં સુંવાળી રખાય ! કષ્ટથી ભાગેડુ બનાવાય !' એ ભાગ્ય ફોડી નાખવાનો ધંધો છે, સરાસર મૂર્ખાઈ જ શું, આડાઈ છે, દીર્ઘતિદીર્ઘકાળના આત્મવિનાશ સર્જવાનો ધંધો છે ! માટે કાયકષ્ટ-તપ અહીં ખાસ આદરવા જેવો.
૧૭
(૬) સંલીનતા-તપ એ છેલ્લો છઠ્ઠો બાહ્ય તપ છે. એમાં મન-વચન-કાયાને પાપથી બને તેટલાં ગોપવી રાખવાનું આવે, હલનચલન બંધ રાખવામાં આવે. દા.ત. બોલવાનું આવ્યું ત્યાં મનને એમ થાય કે ‘બોલીશ તો કદાચ જુઠું બોલવાનો, કોઈની નિંદા કરવાનો, કે પાપવચન બોલવાનો અવસર આવશે, માટે મૌન રાખવા દે, યા ઓછું બોલવા દે', એમ વિચારી મૌન રાખે, તો એ વાણીનો સંલીનતા-તપ થયો. અથવા જેટલું ઓછું બોલાયું એટલો સંલીનતા-તપ થયો. એવું કોઈ વસ્તુ કે બનાવ પર ક્રોધ-લોભાદિ ભર્યો વિચાર કરવા જતાં પાપના ડરથી એ વિચાર જ માંડી વાળે, યા એના પર અમુક પ્રમાણમાં અંકુશ મૂકે, તો એ મનનો સંલીનતા તપ થયો. એમ માળા ગણવા બેઠા, કે વ્યાખ્યાન સાંભળવા બેઠા, ત્યાં કાયાને બરાબર સ્થિર એક જ આસને રાખી, યા ઓછામાં ઓછી હલાવી, પગ કેડ હાથ બહુ ઊંચા-નીચા ન કર્યા, તો એ કાયાનો સંલીનતા તપ થયો. એમ આંખથી ડાફોળિયાં મારવાનું બંધ કર્યું, તો એ પણ કાયર્સલીનતા ઈન્દ્રિય સંલીનતા તપ થયો. એમ રાતના જાગી પડ્યા અને -વા કલાક કાયોત્સર્ગમાં બેઠા, તો એ પણ મન-વચન-કાયાનો સંલીનતા તપ છે.
આવા બાહ્ય તપથી પણ કર્મનો સારો ક્ષય થાય છે. કર્મ પ્રતિક્રમણથી ક્ષય પામે, તેમ ભોગવાઈને પણ ક્ષય પામે. કિન્તુ આત્મા પર અસંખ્ય જનમનાં થોકબંધ કર્મ લદાયેલાં પડ્યાં છે, એનો ભોગવીને શે છુટકારો થાય ? એ કર્મ તો આવા તપની સાધનાથી જ થોકબંધ ક્ષય પામવા માંડે, આ કર્મનાશની ત્રીજી રીત થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org