SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ધ્યાન અને જીવન રહી જાય ને ?' કેમ ? આ જ ગણતરીમાં ચાલો છો ને ? યા ‘ખાધું એટલું આપણું', એ ગણતરીમાં ? ખાધેલું રહે છે ? ભૂલશો નહિ, પેટ તો એક કાણી કોઠી છે. એમાં લાખો મણ નાખો છતાં ખાલી ને ખાલી ! બોલો આ જિંદગીમાં જ આજ સુધી આ કાણી કોઠીમાં કેટલું નાખ્યું ? રોટલી કેટલા હજાર ? એ બધું છે અત્યારે સલામત ? શા સારુ મળે એટલું ને મળે એટલી વાર ખાવાની પૂંઠે પડ્યા છો ? એ તો મોહરાજાની લાલચો છે. એને સર્વેસર્વા પરવશ પડવામાં તમારા પોતાના આત્માનું સત્ત્વ હણાતું જાય છે. આત્માનું સત્ત્વ આ, કે મળતી લાલચો પર કાપ મૂકે કે મારે આટલી જ ચીજ ખપે, આટલા જ ટંક ખપે, નક્કી કરેલ ટંકથી વધુ ખાવાનું નહિ, સોપારીની કટકી ય નહિ, ને ચાહની અડધી રકાબી ય નહિ પીવાની, માત્ર પાણી સિવાય કશું નહિ', એ પણ અનશન તપ થયો. એમ ચીજની સંખ્યાનું નિયમન એ દ્રવ્યસંક્ષેપ તપ થયો. આમાં તો કેટલી ય લાલચ રોકી, એથી આત્માનાં સત્ત્વનો વિકાસ થયો. ત્યારે માનવ જીવનની સફળતા સત્ત્વ-વિકાસમાં છે, પણ પશુની જેમ લાલચવશ અને વિષયમગ્ન થઈને સત્ત્વને હણવામાં નહિ. લાલચના માર્યા નિયમ વિનાનું જીવન જીવવામાં તો માણસના ખોળિયે પશુ હૃદયની જ રમત રમાય. (૪) રસત્યાગ તપ, એ દૂધ-દહીં-ઘી-તેલ-ગોળ-સાકર-તળેલું, એ છ વિગઈઓમાંથી અમુક વિગઈનો ત્યાગ રાખવાથી થાય. સવારથી નક્કી કરાય કે આજે દૂધત્યાગ, યા દહીંત્યાગ... વગેરે. અથવા બાંધેભારે નક્કી થાય કે ‘આજે ત્રણથી કે ચારથી યા પાંચથી વધુ વિગઈ ન વાપરવી', વર્ષ માટે કે જીવનભર ‘અમુક વિગઈનો સર્વથા ત્યાગ', યા ‘રોજ અમુક ત્યાગ' એમ પણ નિયમ થાય. કુમારપાળ મહારાજા અઢાર દેશના ધણી સમ્રાટ રાજા, છતાં પ્રતિજ્ઞા કરતા કે ચોમાસામાં ઘી સિવાય પાંચ વિગઈઓ બંધ' કેવો રસત્યાગ ! કેટલો બધો લાલચ ને સુખશીલતા પર કાપ ! ત્યારે ગણધર થવાનું મહાપુણ્ય શી રીતે ઊભું કરી ગયા હશે ? આમ જ, પણ લાલચોને પરવશ બન્યા રહીને નહિ. ભરચક આર્તધ્યાનથી બચવું છે ? તો મનની લાલચો પર આવા ટંક નિયમ, વૃત્તિ સંક્ષેપ-રસત્યાગનો નિયમ વગેરેથી કાપ મૂકો. નહિતર જો કોઈ નિયમ જ નહિ, લાલચોના ચારે દરવાજા ને બારે ભાગોળ ખુલ્લી, તો ભરચક ઈષ્ટ વિષયોની છૂટને લીધે તો ભરચક આર્તધ્યાન ચાલ્યા કરવાની અનુકૂળતા રહેવાની. આર્તધ્યાન શાનું હોય છે ? ઈષ્ટના સંયોગનું, ને અનિષ્ટના વિયોગનું ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy