SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૧૬૫ ઈષ્ટ-સંયોગ એટલે ‘ગમતું બન્યું રહે, ગમતું મળે', આ લાલચ. એમ અનિષ્ટ-વિયોગ એટલે અણગમતું ટળે, અણગમતું ન આવે' આ લાલચ. હવે જો કોઈ ત્યાગનો નિયમ જ નથી, પ્રતિજ્ઞા જ નથી, તો તો બધાયની લાલચ ઊભી છે. આ લાલચના લીધે આર્તધ્યાન શું કામ નહિ ચાલે ? જો અમુક અમુક પણ ત્યાગની પ્રતિજ્ઞા છે. દા.ત. મહિનામાં દસ-પંદર કે, વીસ દિવસ મિઠાઈ ત્યાગ', તો એટલો વખત એ ચીજની અપેક્ષા જ નથી તેથી એ મળે તે ઠીક', અગર ‘મળે તો સારું', એવું આર્તધ્યાન નહિ થાય. થોડા પણ ત્યાગમાં ખૂબી : ખૂબી તો પાછી એ છે કે થોડી પણ લાલચ રોકીને ભલે અમુક થોડા પણ ત્યાગની પ્રતિજ્ઞા કરી, તો તે સમજીને જ કરી છે કે ‘આ ત્યાગ કરેલી ચીજ મિઠાઈ વગેરે સારી તો નથી જ. એટલું જોમ નથી તેથી અમુક પ્રમાણમાં ત્યાગ કરું છું. પરંતુ ખરેખર તો તે જીવનભર માટે છોડવા જેવી છે.' આમ મનમાં એ ચીજ પ્રત્યે નફરત ઊભી થઈ. એનો લાભ એ કે એના ત્યાગ વિનાના ખુલ્લા દિવસમાં પણ એને ખરાબ માન્યાથી એની એવી જોરદાર લાલચ નહિ રહે, એટલે એનું તેવું પ્રબળ આર્તધ્યાન નહિ ચાલે. થોડા પણ ત્યાગથી પાપ પ્રત્યે નફરત ઃ મહિનામાં બે આઠમ, બે ચૌદશ એમ ચાર દિવસ પણ ઘી-દૂધ-દહીં-સાકર બંધ કરો ને, તો ય એની અસર આખા મહિના પર પડશે. કેમકે આ થોડું પણ બંધ રાખ્યું એ સમજીને જ બંધ રાખ્યું છે કે આ ચીજ ખોટી છે, માટે જેટલો એનો ત્યાગ થયો એટલો હું ભાગ્યશાળી !' પછી બાકીના દિવસોમાં એ ખાતાં ખાતાં ય મનમાં આ ભાવ રહેશે કે ‘આ ચીજ ખોટી છે, ક્યારે સર્વથા ત્યાગ કરવાનું જોમ આવે ?’ આમ ઈષ્ટ વિષયો પ્રત્યે નફરત ઊભી થાય એ મોટી વસ્તુ છે, વીતરાગતાનો પાયો છે. આગળ નફરત વધતાં વધતાં કાયા સુદ્ધાં પ્રત્યે અનાસક્તભાવ જાગતાં વીતરાગ બનાય છે. મૂળમાં પાપવસ્તુઓ પ્રત્યે નફરતની જરૂર છે. એ આવ્યા પછી તો જ્યારે ક્યારે ય ત્યાગ સહેલો છે. આ નફરત થોડી પણ લાલચ દબાવીને થોડા પણ પ્રમાણમાં ત્યાગની પ્રતિજ્ઞા કરવાથી આવે. જેને આ કાંઈ કરવાની ઈચ્છા જ નથી એ તો ઊલટું મનમાં માનશે કે ‘ચાલો, ચીજ સારી મળી ! આ જેટલી વધુ ને વધુ મળે એટલા આપણે વધુ ભાગ્યશાળી.' જોયું ? પેલો એના ત્યાગમાં ભાગ્યશાળીપણું માને છે, ત્યારે આ એના ભોગમાં જાતનું ભાગ્યશાળીપણું માને છે ! કેટલો બધો ફરક ? બોલો, ભોગમાં ભાગ્યશાળીપણું કે ત્યાગમાં ? ભોગમાં તો પુણ્યની ચટણી થઈ જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy