SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ન ધ્યાન અને જીવન ૧ - ઈન્દ્રિયો અને મનની વૃત્તિ પર કાપ મૂકે એથી તપ થાય, તપથી કાયા અને આત્મા નીરોગી થાય.” ભિખારી કહે, “મને મળે છે જ કેટલું? એમાં શો કાપ મૂકું ?” મુનિ કહે, “અરે નાદાન ! તને ભીખમાં ધાન્ય કેટલા મળે ? શાક કેટલા મળે ? દૂધ, દહીં વગેરે વિગઈઓ કેટલી મળે ? ન મળે તો ન ય મળે, પણ મળે તો કેટલી લઈ લે ? આટલું જ લેવું એવો કોઈ નિયમ ખરો ? ના, પછી એ લેવામાં ખાવામાં નિયમ ખરો કે “ગમે તેટલું મળે, પણ આટલું જ લેવું, આટલું જ ખાવું? ના, તો જે આ... આ... વિગઈઓ છે. એના પર કાપ મૂકી શકાય.” ભિખારીને એ ગળે ઊતરી ગયું. એ કહે, “ભલે મહારાજ ! મને રોજ એક જ ધાન્ય, એક જ શાક અને એક જ વિગઈનો નિયમ કરાવો. એથી વધુ મારે ના લેવું.” લીધી પ્રતિજ્ઞા. ત્યાગનો લાભ : શું કર્યું આ? વૃત્તિ સંક્ષેપ તપ અને રસત્યાગ તપ, એ તપ કોઈ લાલસાથી નહિ, કોઈ ધન-માલ મળવાની આકાંક્ષાથી નહિ, એટલે જ એમાં એનાં કર્મ એવા ખપી ગયા કે એ પછીથી સાજે ય થયો, નોકરી ય મળી, એમાંથી આગળ વધતાં વેપારી ય થયો અને શ્રીમંત પણ બન્યો ! હવે તો મનમાન્યાં ધાન્ય-શાક-વિગઈઓ મળી શકે છે. પરંતુ એને તો રોજ એક જ અનાજ, એક જ શાક અને એક જ વિગઈ ખપે છે ! ઉપકાર માને છે મુનિનો કે “ભલું થજો એ મહાત્માનું કે મને આ સ્થિતિમાં ચડાવ્યો અને સાથે બહુ ધાન્ય, બહુ શાક, બહુ રસના પાપમાંથી બચાવી લીધો ! લાવ ત્યારે, નિયમ ન હોત તો જે ખાઈને આત્માનું બગાડત, એ દૂધ ઘી વગેરેનાં ભરપૂર સાધનોનો સુપાત્રદાનમાં લાભ લેવા દે !' મંડ્યો દાન દેવા. જુઓ, એક વખતનો મૂઢ ભિખારી ગુરુ-ઉપદેશથી કડક વૃત્તિ સંક્ષેપ ને રસત્યાગના તપમાં ચડી દાનવીર બન્યો ! અને એણે એટલાં બધાં અંતરાય કર્મનો ક્ષય કર્યો ! તેમજ એટલું બધું પુણ્ય ઉપામ્યું ! કે ત્યાંથી મરીને જે દેશમાં મનુષ્ય તરીકે જન્મ પામ્યો, ત્યાં એના જનમવા પહેલા રાજાને નિમિત્તિયાએ દુકાળ પડવાની સાચી આગાહી કરેલી, તે આગાહી આ પુણ્યશાળીના જનમવાથી ફોક ગઈ ! જાય ? પણ ત્યાં આના પ્રબળ પુયે ભારે વરસાદ પડ્યો ! સુકાળ થયો ! કેવળજ્ઞાની ભગવંત પાસેથી રાજએ આ જાણીને આ બાળને માથે છત્ર ધરી એને રાજા તરીકે જાહેર કર્યો ! જોયું કે “જેનું આટલું બધું પુણ્ય તપે છે કે દુકાળને ફેડી નાખે, તો એ જ પ્રજાનો પાલક ખરો રાજા હોઈ શકે.” એક અબૂઝ અને જૈનેતર ભિખારીનું આ પરાક્રમ જાણ્યા પછી તમને વૃત્તિ સંક્ષેપ કરવાનું કાંઈ પૌરષ ચડે ખરું ? જેજે હોં, ‘પણ અહીં ખાસુ મળે તે ખાવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy