________________
૧૨ નું ધ્યાન અને જીવન આ સૂચવે છે –
કર્મક્ષયાર્થે ઈન્દ્રિયો અને મનના વિષયોની જેટલી લાલચ દબાવો એટલો તપ થાય.
જીવન જીવતાં ઘણા ય વિષયો સામે આવવાના કે સ્મરણમાં આવવાના. સામે ઈન્દ્રિયોના વિષય તરીકે શબ્દ-રૂપ વગેરે વિષયો, ને મનના વિષય તરીકે ક્રોધ, માન વગેરે કષાયો આવવાના. જેટલા જેટલા એને રોક્તા જાઓ, ઈન્દ્રિયો અને મનને એ પકડતાં અટકાવો, એટલો તપ થાય, મહાન કર્મક્ષયનો લાભ આપે. જુઓ -
(૩) વૃત્તિ સંક્ષેપ તપ. ભાણા પર જમવા બેઠા, આઠ ચીજ પીરસાઈ, એમાંથી કર્મક્ષયના લાભાર્થે એક-બે ચીજ કાઢી નાખી, તો આ વૃત્તિ સંક્ષેપ તપ થયો. મનની લાલચ વૃત્તિનો સંક્ષેપ કર્યો, મનની વૃત્તિને આઠમાંથી છ ખાવા પર સંકોચી. હંમેશ માટે દા.ત. પ્રતિજ્ઞા કરી કે “એક ભાણે સાતથી વધુ ચીજ ન ખાવી', અથવા “રોજના માટે વીસથી વધુ ચીજ ન ખાવી', યા “રોજના ત્રણ ધાન્ય, બે શાક, ચાર વિગઈથી વધુ ન ખપે. તો એ વૃત્તિ સંક્ષેપ તપ થયો. એથી પેટ ભરાય કે નહિ ? ભરાય. એમાં જરૂર લાગ્યે દહાડામાં ચાર વાર પણ ખાવા મળે કે નહિ ? મળે. છતાં તપનો લાભ થાય, મહાન કર્મક્ષયનો લાભ થાય, ભરપૂર પુણ્ય-ઉપાર્જન થાય.
એક ભિખારીના તપનું દષ્ટાંત -
એક ભિખારી હતો. જેવું તેવું એઠું જુઠું મળતું તે ખૂબ ખાતો. શરીરે ફોલ્લા ઉઠ્યા છે, રસી ઝરે છે, બળે છે, ત્રાહિ ત્રાહિ પોકારે છે. છતાં ખા-ખા ચાલુ ! એને એકવાર સાધુ મળ્યા. હાથ જોડીને કહે છે –
“બાપજી ! જુઓને આ કેવો રોગ થયો છે? કાંઈ જડીબુટ્ટી હોય તો બતાવો ને, જેથી સાજો થાઉં.'
મુનિ કહે, “ભલા માણસ ! જડીબુટ્ટી તો તારી પાસેજ છે, અમારી પાસે શું માગે ?'
પેલો કહે, “મારી પાસે ? ના રે ના, બાપજી ! હું તો ભિખારી છું. ભીખ માગીને જીવું છું. મારી પાસે એક રાતી પાઈ નહિ, તો વળી જડીબુટ્ટીની વાત શી?”
મહારાજ કહે છે, “મહાનુભાવ ! તો આ જે ખાઈ ખાઈને તો રોગ ઊભો થયો છે. હવે જે એના પર કાપ મૂકી દે, તો એ જડીબુટ્ટીનું જ કામ કરે, રોગ મટી જાય, માત્ર શરીરનો જ નહિ, આત્માનો કર્મરોગ પણ કેટલો ય નાશ પામી જાય. શાસ્ત્ર કહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org