SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ 2 અશન માટે આહારમાં ભારે હિ ન ધ્યાન અને જીવન ૧૬ આ સચોટ સમજ સાથે, “મારે સિદ્ધિ જોઈએ, મારે મોક્ષ મેળવવો છે, કર્મક્ષય કરવો છે, મારે આહારસંશા કચરવી છે, લાવ અશનનો ત્યાગ કરું' - એ ઈચ્છાથી અશન છોડે એ અનશન તપ ગણાય, પછી ભલે ને ઉપવાસ ન કર્યો, એકાસણું બેસણું કર્યું, અરે ! પોરિસી કે નવકારશી જ કરી, પણ આ ઈચ્છાએ, તો એ અનશન તપ થયો. એથી કર્મક્ષય થાય. નવકારશી-પોરિસી તપ વગેરેથી કેટલાં પાપ તુટે? : શાસ્ત્ર કહે છે – સો વરસ સુધી એક નરકનો જીવ નરકની પરમાધામીની ઘોર પીડા ભોગવે, કપાય, છૂંદાય, છોલાય, બળાય, લોખંડી મોઘરથી કૂટાય... વગેરે કારમી પીડાઓ લગાતાર સો વરસ ભોગવે અને એ ભોગવવામાં જે રકમબંધ ઘોર અશાતાવેદનીય કર્મો ભોગવાઈને નાશ પામે, એટલાં કર્મ એક શ્રદ્ધાળુ સમ્યગ્દષ્ટિ જીવ નવકારશી તપથી ખપાવે ! ક્ષીણ કરે ! પછી પોરિસી કરે તો એક હજાર વર્ષનાં કર્મનો ક્ષય કરે. સાઢ પોરિસી કરે તો દસ હજાર વર્ષનાં કર્મનો ક્ષય કરે... ચાલ્યું, આગળ આગળના તપમાં દસ-દસગુણો લાભ થાય. બોલો, જેને સવાર પડી ત્યાં દાતણનો ડોયો ને ચાહનો કટોરો મોંમાં ઘાલવાનું કરવું છે, એને ભાન છે ખરું કે જીવડા ! જરાક ખમ, માત્ર સૂર્યોદય પર બે ઘડી છોડ, પછી દાતણ કરજે, તો નવકારશી તપ થશે અને એમાં પેલા સો વરસની નરકની કારમી વેદનાનાં પાપ નાશ પામશે !” ત્યારે નિત્ય નવકારશીવાળાને ભાન ખરું કે “રોજ નહિ, તો પર્વ દિવસે જરા પોરિસી કરું, ને દસ ગુણો લાભ યાને એક હજાર વરસની વેદનાનાં કર્મનો ભુક્કો થશે.” પોરિસી કરવામાં સહવાનું કેટલું મામુલી ! અને લાભ કેવો જંગી કર્મક્ષયનો ! પણ અનાદિની ખાઉં-ખાઉંની રાક્ષસી આહારસંજ્ઞામાં બિચારાને આ સૂઝે. જ શાનું? ખબર નથી કે ભેંસ થઈને આ તપ નહિ કરી શકાય. માલિક ગુસ્સે થઈને ચારો મોડો નાખશે તો ભૂખ્યા રહેવું પડે છતાં તપ નહિ. એ તો આ માનવજીવનની લ્હાણ છે કે કર્મક્ષયની ઈચ્છાથી નવકારશી પોરિસી વગેરે અનશન તપ થઈ શકે. અરે ! કશું ય પચ્ચખ્ખાણ નહોતું, ઊઠ્યા ત્યારથી બપોર સુધી ખાધું, પણ પછી કર્મક્ષયાર્થે “ચાલ હવે, આજે કશું ખાવું નથી”, એમ નિયમ કરે, “આજથી મારે રોજ ચાર ટંકથી વધુ ખાવું ન ખપે', એમ અભિગ્રહ કરે, તો ય તે અનશન તપ છે. (૨) એમ, ઊનોદરિકા તપ, જમતાં બે-ચા કોળિયા ઓછું ખાય. શા માટે? ભગવાને એને પણ તપ કહ્યો છે, એથી ય કક્ષય થાય એ માટે, તો એ ઊનોદરી તપ થયો. શરીર સારું રહે એવો ઉદ્દેશ નહિ, ઓછું ખાતાં બીજાને સારા લાગીએ માટે ઊનોદરી નહિ, કિન્તુ જિનની આજ્ઞા છે, કર્મક્ષય થાય છે, માટે ઊનોદરી, એ તપ છે. કેવી મઝા ? ખાવા છતાં તપ ! કેમ ? બે-ચાર કોળિયા પણ ઓછું ખાતાં એટલી ખાવાની લાલચ દાબી માટે. ઉદેશ શુદ્ધિ સાચવવાની છે. ઉદેશ આ, કર્મક્ષયનો, જિનાજ્ઞા પાલનનો, આહારસંજ્ઞાને દબાવવાનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy