________________
૧૬૦ ધ્યાન અને જીવન
મારા આત્માની અંદર પેસવા ન દઉં, કામરાગ-સ્નેહરાગ-વિષયરાગ રૂપી કચરાને જરીકે અંદર ઘુસવા ન દઉં.' આવી સજ્જડ માન્યતા અને સચોટ ભાવના પર સુદર્શન શેઠ એવા મહાકપરા સંયોગોમાં અલિપ્ત રહ્યા ! આવા સંયોગ આપનારા કર્મના ઉદયને પડકારતાં આવડ્યું, એ ઉદયથી પ્રાપ્ત સંયોગની જરા ય અસર ન લીધી, ખુશી ન માની કે ‘ચાલો રાણી મળી.’
આત્મસ્વરૂપ ભાવવા પર ઉપસર્ગમાં મોક્ષ :
બંધક મુનિની રાજાએ મોકલેલા મારાઓ ચામડી ઉતારે છે. પાલક પાપી ખંધક સૂરિના પાંચસો શિષ્યોને ઘાણીમાં પીલે છે. એમાંના કોઈ જ સાધુ દુઃખી થયા ? ના, કપરા કર્મના ઉદયને ભોગવતાં એમને આવડ્યું, ને એમાં જરા ય દુઃખ ન માન્યું, કેમકે એ પોતાના આત્માના શુદ્ધ નિર્વિકાર જ્ઞાનમય સ્વરૂપના ચિંતનમાં લયલીન બની ગયેલા ! પરિણામ ? સર્વ કર્મનો અંત કરી મોક્ષ પામી ગયા !
શાસ્ત્ર કહે છે, (૧) કર્મનો નાશ પ્રતિક્રમણથી થાય, એમ (૨) કર્મને ભોગવી લેવાથી થાય. પણ જો ભોગવતાં આવડે તો આ ઉદય પામેલ કર્મનો નાશ કરવા સાથે બીજાં કેઈ કર્મનો ચૂરો કરે અને ભોગવતાં જો ન આવડ્યું તો આ ઉદિત કર્મ તો ભલે જાય, પરંતુ બીજાં કેઈ કર્મ નવાં ઊભાં કરે ! બેને કાઢી બારને ઘાલવાનું થાય.
આ કર્મનાશની બીજી રીતની વાત થઈ.
૨૪. તપથી કર્મનાશ : છ બાહ્ય તપ
(૩) કર્મનો નાશ કરવાની ત્રીજી રીત તપ છે. પૂર્વ જન્મનાં કર્મ ભોગવાઈને જ નાશ પામે એવો નિયમ નથી. તપ આચરો તો પણ કર્મક્ષય થાય છે. તપ બે પ્રકારે - ૧, બાહ્ય અને ૨, આભ્યન્તર.
બાહ્ય તપમાં શું શું આવે ?
અનશન, ઊનોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયકષ્ટ અને સંલીનતા, આ બાહ્ય તપ છે.
આ તપ સ્વેચ્છાએ કરવાનો છે. બાંધ્યો ભૂખે મરે એ અનશન તપ નહિ. ‘તપ વિના સિદ્ધિ નથી.’
‘તપ વિના લોટબંધ કર્મનો ક્ષય નહિ.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org