SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૧૫૯ સુખ-દુઃખની મારા મન પર ખરાબ અસર લેવાનું શું કામ છે ? હું નિર્વિકાર શુદ્ધ જ્યોતિ સ્વરૂપ છું. દુનિયાના સંયોગાધીન સુખ-દુઃખ એ તો મારી ચીજ નહિ, એ તો કર્મના ખેલ છે. મારે તે તટસ્થપણે માત્ર જોવાના, સારું-નરસું કશું માનવાનું નહિ. કશું હરખાવા-રોવાનું નહિ.' એટલે આ આવ્યું કે - સુખ-દુઃખમાં અલિપ્ત રહેવાની ચાવી : ‘આત્માનું શુદ્ધ સ્વરૂપ ભાવો.' આ સમજને ચિત્તમાં મમરાવવામાં આવે, હૃદયમાં વારંવાર ચિંતવવામાં આવે, તે પણ એ રીતે કે ‘જાણે આપણે અત્યારે મોક્ષના જીવ જેવા શુદ્ધ જ્ઞાનમય નિર્વિકાર બની ગયા છીએ' એવી ભાવના કરીને, જો આ રીતે એનો ખૂબ અભ્યાસ થાય, તો એક એવો સુંદર સંસ્કાર ઊભો થાય છે કે જેથી પછી મામુલી સુખ-દુઃખ વખતે તો એ ભાવનાના પ્રતાપે સહેલાઈથી સુખ-દુઃખથી અલિપ્ત જેવા રહી શકીએ અને પછી આગળ અભ્યાસ વધતાં મોટાં સુખ-દુ:ખમાં પણ અલિપ્ત જેવા રહી શકીએ. બોલો છો ને - - ‘ભરતજી મનહી મેં વૈરાગી, ચાર ક્રોડ મણ અન્ન નિત સીઝે, લૂણ લાખ દસ મણ લાગી, તિન ક્રોડ ગોકુળ નિત દુ ઝે, તો ભી ન હુ આ અનુરાગી... ભરતજી' કેટલી બધી સંપત્તિ ? છન્નુ કરોડ પાયદળ લશ્કર નભાવે છે ! રોજ ચાર ક્રોડ મણ અન્ન રંધાય છે ! જેમાં રોજનું દસ લાખ મણ તો મીઠું (લૂણ) વપરાય છે ! એ છન્નુ ક્રોડના લશ્કરને પગાર આપવા ધન કેટલું ? આવા સમૃદ્ધ પણ ભરત ચક્રવર્તી એ સમૃદ્ધિમાં ‘અનુરાગી' યાને પ્રેમવાળા ન બન્યા. કારણ ? એમના મનમાં વૈરાગ્ય ઉછળતો હતો, પોતાના જ શુદ્ધ જ્ઞાનમય નિર્વિકાર સ્વરૂપનો ખ્યાલ હતો, પછી બાહ્ય સંપત્તિના લેપડાની શું કામ અસર લે ? આત્મસ્વરૂપ ભાવવા પર સુદર્શન અનાસક્ત ઃ સુદર્શન શેઠને પ્રપંચથી અભયા રાણીએ મહેલમાં આણ્યા. શેઠના રૂપ પર ઓવારી જઈ ભોગની પ્રાર્થના કરે છે, હાવભાવ કરે છે. અહીં જુઓ રાત્રિનો કામોત્તેજક સમય છે, વળી ખૂબસુરત રાણી કામચષ્ટાઓ સાથે આજીજી કરે છે, પણ શેઠનું રુંવાડું ય ફરકતું નથી. ત્યાં રાણીએ હાવભાવ-ચેષ્ટાઓ કરવામાં શી કમીના રાખી હોય ? છતાં શેઠને લેશમાત્ર કામનો વિકાર નથી થતો ! શી રીતે બન્યું હશે ? કહો, શેઠ પોતાના આત્માના શુદ્ધ જ્ઞાનમય નિર્વિકાર સ્વરૂપનાં હાર્દિક ચિંતનમાં લયલીન બન્યા હોય, પછી આ કામોત્તેજક સંયોગોની મજાલ શી કે શેઠને જરા વિકાર કરી શકે ? મનથી નક્કી કરી લીધું કે મારું આત્મસ્વરૂપ બિલકુલ વિકારહિત છે, શુદ્ધ જ્ઞાનમય છે. મારે આ ચામડાના વિષયો સાથે લેવાદેવા શી ? એ તો મારા આત્માની આસપાસ મોહની સોનાનો ઘેરાવો છે, પણ એને લેશ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy