________________
૧૫૮
ધ્યાન અને જીવન
સુકૃત કર્યાં હોય પરંતુ જો આયુષ્ય તત્કાળના અશુભ ભાવને લીધે દુર્ગતિનું બંધાઈ ગયું હોય, તો મરીને એ ગતિમાં જ જવાનું થાય. એથી ઊલટું જીવનમાં દુષ્કૃત્યો બહુ કર્યા હોય પરંતુ આયુષ્ય તત્કાળના શુભ ભાવને લીધે સદ્ગતિનું બંધાયું હોય, તો મરીને તરત સદ્ગતિમાં જવાનું થાય, ને પ્રાયઃ એ ગતિના સંયોગના હિસાબના જ સંસ્કારો જાગ્રત્ થાય અને કર્મવિપાક બતાવે.
ગોશાળાને આવું બન્યું. જીવનમાં દુષ્કૃત્યો બહુ આચર્યા છે, એનાથી અશાતા વેદનીય આદિ અશુભ કર્મો અને કુસંસ્કારો સારા પ્રમાણમાં ઉપાર્જ્ય છે, પરંતુ આયુષ્ય બાંધવા ટાણે ભાવ સારા હતા, તેથી દેવલોકનું આયુષ્ય અને શાતા વેદનીય આદિ સારાં કર્મ તથા પાપ પશ્ચાત્તાપના સુસંસ્કાર પણ ઊભા કર્યા છે. હવે જ્યારે મરીને બારમા સ્વર્ગનો દેવ થાય છે ત્યારે ત્યાંના સંયોગના હિસાબે શુભ કર્મ અને સુસંસ્કાર ઉદય દેખાડે છે, ને અશુભ કર્મ તથા ઉગ્ર કુસંસ્કારો ફળ દેખાડી શકતા નથી. પરંતુ એ ત્યાં જ હોં. ત્યાંથી મરીને મનુષ્ય થશે એટલે એ અશુભનું કામ શરૂ થશે. આ સૂચવે છે કે
-
સંયોગને આધીન શુભાશુભનો ઉદય ઃ
આત્મામાં બંને જાતનાં કર્મ હોય, પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ને ભવના સંયોગ-પરિસ્થિતિના હિસાબે જો પુણ્યકર્મ જોર પકડે, તો પાપકર્મ દબાઈ જાય. એટલે ? પુણ્ય એના વિપાક દેખાડે અને પાપ એના વિપાક ન દેખાડી શકે. એથી ઊલટું જો તેવા ભવ આદિના સંયોગોએ પાપકર્મ જોર પકડે તો એના વિપાક ભોગવાતા રહે અને ત્યાં પુણ્યના વિપાક બંધ પડે, ભોગવવામાં ન આવે.
વાત આ હતી કે જો પૂર્વભવનાં લાવેલાં પાપકર્મ ભોગવતાં આવડે, અર્થાત્ પાપના ઉદયે આવેલાં દુ:ખની વખતે જો ભાવના સારી રખાય, તો નવાં પુણ્યની કમાઈ થાય. ગોશાળો પોતાની જ તેજોલેશ્યાના તાપથી બળતો રહેવાના દુઃખમાં મર્યો. એ પાપકર્મના ઉદયને લીધે જ, પરંતુ એ વખતે ભવિતવ્યતાવશ ભાવના સારી આવી તો મરીને એકવાર તો બારમા દેવલોકે ગયો.
(૪) કર્મ ભોગવવાની આવડતમાં ચોથી સમજ આ, કે મારો આત્મા મૂળમાં શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રમય છે. એને એમાં પુણ્યોદયે સ્વર્ગની સમૃદ્ધિ મળો તેથી કશો લાભ નથી. એના ગુણમાં કાંઈ વધતું નથી. તેમ પાપોદયે આપદા આવે, એથી જ્ઞાનાદિ ગુણમાં કાંઈ ઘટતું નથી. તો પછી પુણ્યના ઉદયમાં યાને સુખ-સગવડ મળી જવામાં મારે ઘેલા-મેલા થવાનું શું કામ ? અને પાપના ઉદયમાં એટલે દુઃખ-આપત્તિ-અગવડ આવે ત્યાં કરમાવાની અને ખિન્ન દીનહીન થવાની શી જરૂર ? આ બધાથી મારા અસલી શુદ્ધ સ્વચ્છ જ્ઞાનમય સ્વરૂપમાં કોઈ વિકાસ-વિકાર થતો નથી, તો પછી મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org