SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન (૧૫ હતો, પરંતુ હવે અહીં એના મનને લાગી ગયું કે, “આ દાહનું દુઃખ મારા જ પાપને લીધે છે. મેં ધર્માચાર્યની અવગણના કરી તેથી મારી જ તેજોલેશ્યાએ મારે બળવાનું દુઃખ આવ્યું. ધિક્કાર છે મારા એ દુષ્કૃત્યને ! લાવ મારા શિષ્યોને ને લોકને શીખવું કે જે પોતાના ધર્માચાર્યની અવગણના કરે છે, એને આવાં દુઃખ આવે છે. માટે કોઈ ધર્મગુરુની હીલના કરશો નહિ.” - આમ સારો ભાવ આવ્યો ને શીખવ્યું તો મરીને બારમા દેવલોકે ગયો. દુઃખ ભોગવતાં છતાં એને એટલા અંશે વધાવ્યું કે એમાં પોતાની નાલાયકીને જવાબદાર ગણી, તો ઈનામમાં બારમો દેવલોક ! તો પછી દુઃખને સર્વાંશે વધાવે તો કેટલું મોટું ઈનામ ! ગોશાળે સર્વાશે ન વધાવ્યું કેમકે એણે જે કે શિષ્યોને એમ કહ્યું કે – સાચો જિન નથી, સર્વજ્ઞ નથી, સાચા જિન સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુ છે. હું એમનો પૂર્વે શિષ્ય હતો અને એમની પાસેથી જ આ તેજલેશ્યાની વિદ્યા ભણ્યો હતો. પરંતુ મેં એ મારા ધર્માચાર્યની અવગણના કરી, એમનો દ્રોહ કર્યો, એનું આ હું ફળ પામ્યો છું. તેથી તમે કોઈ ધર્મગુરુનો દ્રોહ કરશો નહિ અને મારા મરી ગયા પછી મારા મડદાને દોરડાથી બાંધી એના પર થૂકતાં ઘૂંકતાં શ્રાવસ્તિ નગરીના રાજમાર્ગો પર કૂતરાના મડદાની જેમ ઘસડીને ફેરવજો અને લોકોને કહેજો કે “જે કોઈ ધર્માચાર્યની અવગણના કરે એના આવા હાલ થાય.” આમ જો કે કહ્યું તો ખરું, પરંતુ એ ન કહ્યું કે “મને મહાવીર પ્રભુ પાસે લઈ જાઓ અને હું એમની આગળ મારાં સર્વ પાપોની આલોચના કરું, પ્રાયશ્ચિત્ત લઉં અને નિર્મળ થાઉં' - આ ન સૂઝયું, ને એમ ન કર્યું, એ અધુરાશ રહી, ક્રૂર કૃત્યોના સંસ્કાર તથા ઉપાર્જેલાં પાપકર્મના અનુબંધ ઊભા રહી ગયા, એટલે જો કે અંતે પશ્ચાત્તાપના શુભ ભાવથી ઊભા થયેલ પુણ્ય બારમો દેવલોક મળ્યો ખરો, પરંતુ પછી કેમ ? તો કે એ સિલિકનો માલ આગળ આવશે, પાપકર્મો અને કુસંસ્કારો ભારે પડશે. પુણ્યોદય વખતે પાપના ઉદયને વિલંબ કેમ? પ્ર. - એ પાપકર્મો તો આત્મામાં પડેલા જ હતાં, તો કેમ તરત પછીના ભવમાં ફળ ન દેખાડ્યું? ઉ. - કેટલાં ય કર્મ અને કુસંસ્કારોને ફળ દેખાડવા માટે અનુકૂળ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવના સંયોગ જોઈએ છે. અંતર આત્મામાં ક્રૂરતાના સંસ્કાર પડ્યા હોય, પરંતુ ભવ કબૂતર જેવો મળ્યો હોય તો એ ક્રૂરતા જાગ્રત ન દેખાય. એમ અહીં ગોશાળાને બારમા દેવલોકમાં જન્મ મળ્યો છે એટલે ત્યાં ઉગ્ર કુસંસ્કારો ઉદય ન પામે અને આયુષ્ય તો જીવનમાં એક જ વાર બંધાય, તે ય એ બંધાતી વખતે મનના પરિણામ જેવા શુભ કે અશુભ હોય, તે પ્રકારનું આયુષ્ય બંધાય. પછી તો કેમ ? તો કે જીવનમાં ગમે તેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy