________________
( ૨૩. ભોગવીને પાપનાશના ચાર ઉપાય
IIIII
બીજી રીત એ કે કર્મ ભોગવાઈને નાશ પામે. પૂર્વે ઉપાર્જેલા પાપકર્મો ઉદયમાં આવે, દુઃખ આપે અને એ રીતે ભોગવાઈને એ નાશ પામે. કહ્યું જ છે કે પાપકર્મ વિના દુઃખ આવે નહિ અને દુ:ખ આપીને પછી એ પાપકર્મ ઊભાં રહે નહિ. પરંતુ ખૂબી એ કે જો એ ભોગવતાં ન આવડે તો પાછાં નવાં પાપકર્મ ઊભાં થઈ જવાનાં.
“કર્મ ભોગવતાં ન આવડે એનો અર્થ એ કે દુઃખની વખતે આકુળવ્યાકુળ થવાય, દુર્બાન અને ખોટા કષાયો કરાય, દુઃખ કાઢવા માટે ગેરવ્યાજબી પ્રવૃત્તિ કરાય, દા.ત. કેઈ હિંસા-જુઠ-અનીતિ વગેરે પાપો આચરાય. દા.ત. ગરીબીનું દુઃખ આવ્યું ત્યાં સીધે સીધો પ્રામાણિક મજુરી વગેરેનો ધંધો કરે, એ તો ગેરવ્યાજબી ધંધો નહિ, પરંતુ જુઠ, માયા-કપટ, અનીતિ વગેરેથી ધંધો કરે, યા ભારે હિંસા આરંભ-સમારંભવાળો ધંધો કરે, એ ગેરવ્યાજબી પ્રવૃત્તિ કહેવાય. એનાથી નવાં થોકબંધ પાપકર્મ ઊભાં થવાનાં ! એમ દા.ત. રોગનું દુઃખ આવ્યું ત્યાં હાયવોય કરાય, અભક્ષ્ય-દવા-ખોરાક લેવાય, એ ગેરવ્યાજબી. એમાં ય નવાં ભારે પાપકર્મ ઊભાં થાય. આ રીતે દુઃખ ભોગવતાં ન આવડ્યું કહેવાય. પછી અહીંના દુઃખ ભોગવવાથી માત્ર પૂર્વોપાર્જિત કર્મ નાશ પામે તેથી શું ? બે પાપ કાઢ્યાં અને બાર ઘુસાડ્યાં ! અહીં દુઃખ એવું ભયંકર નહોતું એટલે એના દેનાર પાપ “બે.' પરંતુ હવે અહીં જે ભારે દુષ્કૃત્યો કરે છે એનાં પાપનું દુઃખ નરક યા તિર્યંચ ગતિમાં ભોગવવું પડે એવું ભયંકર ! તેથી એ દેનારાં પાપ “બાર' કહેવાય. બે પાપ કાઢીને બારને ઘાલવાનું થાય ! બકરું કાઢી ઊંટ પેસાડવા જેવું થાય ! અશુભ કર્મ ભોગવતાં ન આવડે એટલે બકરા જેવું કર્મ કાઢ્યું અને ઊંટ જેવું કર્મ ઘાલ્યું, એવું થાય.
માટે પાપકર્મ ભોગવાઈને નાશ પામતા હોય ત્યાં એને ભોગવતાં આવડવું જોઈએ.
પાપકર્મ ભોગવતાં આવડે એનો અર્થ એ કે એ ઉદયમાં આવે ત્યારે એને આનંદથી વધાવી લેવું જોઈએ, એની સામે દાંતિયા ન કરાય. દુઃખ-અગવડ આવે, કે અણગમતું બને, ત્યાં તરત સમજી લેવાય કે -
(૧) “આ મારાં પૂર્વબદ્ધ અશુભ કર્મનું ફળ છે. મારાં કર્મ ઉદયમાં આવ્યાં માટે આ દુઃખ-આપત્તિ આવી. અનંત ગુણસંપન્ન તીર્થંકરદેવથી માંડી અનંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org