________________
ધ્યાન અને જીવન
ધર્મક્રિયામાં ટાઈમ કેમ સફળ ? :
મુંઝાતા નહિ કે ‘હાય ! કેટલો બધો ટાઈમ જાય ?' ના, આ ટાઈમ તો મહા લાભદાયી નીવડશે. પ્રતિક્રમણથી જે અંતરાય કર્મ તુટે છે એથી પછી વેપારાદિની થોડી મહેનતમાં ય લાભ થઈ જાય છે ! દા.ત. ગુરુસેવાથી જે જ્ઞાનનાં આવરણ તોડે છે, એને પછી ભણવાની થોડી મહેનતમાં ય સારું આવડે છે. કર્મ તુટ્યા વિના સારું જ્ઞાન કે બીજી સારી પ્રાપ્તિ થાય નહિ અને કર્મ તોડવાની તાકાત જિનપૂજન, સાધુસેવા, ગુરુભક્તિ, તપસ્યા, પ્રતિક્રમણાદિ પવિત્ર ક્રિયા વગેરેમાં અદ્ભુત છે એ જ્ઞાનાવરણ, લાભાંતરાય વગેરે કર્મોનો જબરદસ્ત ક્ષય કરે છે.
પ્રતિક્રમણથી કયા પાપ નાશ પામે ? :
વાત આ હતી કે પ્રતિક્રમણથી પાપકર્મોનો નાશ થાય છે. પરંતુ ગમે તેવાં ઉગ્ર કે મોટા પાપ કર્યાં હોય અને માત્ર ચાલુ પ્રતિક્રમણની ક્રિયા કરીને એ સાફ થાય એવો નિયમ નહિ. સ્થૂલ પાપોનું પ્રતિક્રમણ, ગુરુ આગળ પશ્ચાત્તાપ સાથે એ પાપો પ્રગટપણે બાળભાવે કહેવાથી થાય. પાપો ગુરુને કહેવા પડે અને એમની પાસેથી પ્રાયશ્ચિત્ત યાચવું પડે, ને એ કરી આપવું જોઈએ.
ઈતર ધર્મોમાં યોગ્ય પ્રાયશ્ચિત્ત ખરાં ? :
૧૫૩
જૈન શાસ્ત્રો એવાં કેઈ પ્રકારનાં દુષ્કૃત્યોની ઓળખ કરાવી એના દરેકનાં યોગ્ય પ્રાયશ્ચિત્ત બતાવે છે. આ પ્રતિપાદન માત્ર જૈન ધર્મમાં જ મળે છે. દુનિયામાં બીજા કોઈ ધર્મનાં એવાં શાસ્ત્ર નથી કે જે એટલી ઝીણવટથી અને એટલા બધા વિસ્તારથી મન વચન કાયાનાં એવાં દુષ્કૃત્યોની પહેલી તો ઓળખ જ આપતાં હોય. જો એ જ નહિ તો પછી એનાં મુદ્દાવાર અલગ પ્રાયશ્ચિત્તની તો વાતે ય શી ? ત્યારે જેને એ દુષ્કૃત્ય તરીકે સમજે છે એનાં પણ જે પ્રાયશ્ચિત્તની વાત કરે છે તે કલ્પનાથી, મનમાન્યા તર્કથી, પણ પ્રત્યક્ષ દર્શનથી જોઈને નહિ. કેમકે સર્વજ્ઞ નહિ હોવાથી પ્રત્યક્ષથી એ જોઈ શકતા નથી કે આત્મા કેવો ? એના દુષ્ટ ભાવો કેવા ? એ ભાવોથી કર્મ કેવા બંધાયા ? ને કેવાં કેવાં પ્રાયશ્ચિત્તથી એ કર્મો નાશ પામે છે ?' આમાંનું કશું પ્રત્યક્ષથી એ જોઈ શકતા નથી. પછી શી રીતે યોગ્ય પ્રાયશ્ચિત્ત બતાવી શકે ?
Jain Education International
તીર્થંકર ભગવાન વીતરાગ સર્વજ્ઞ છે, તેથી સર્વ કાળનાં સર્વ દ્રવ્યો અને એના સમસ્ત ભાવો પ્રત્યક્ષ જુએ છે અને એના આધારે આ બધું યથાર્થ કહે છે. એમણે પ્રતિક્રમણથી પાપકર્મોનો નાશ જોયો અને કહ્યો, એમાં ગુરુ આગળ બાળભાવે પાપનિવેદન અને પ્રાયશ્ચિત્ત-ગ્રહણથી પાપનાશ બતાવ્યો છે. તેથી જ
For Private & Personal Use Only
www.jainelibrary.org