SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ધ્યાન અને જીવન આ સમજે છે માટે રોજ સોનું આપીને પણ પ્રતિક્રમણ કરે છે. બાદશાહને આ ખબર પડી એટલે મદનસિંહને શાબાશી દઈ છોડી મૂક્યો. ડાહ્યા હો તો બીજું બધું પડતું મૂકી ઉભય કાળ પ્રતિક્રમણ કરો. જુઓ, પ્રતિક્રમણમાં કેટલા લાભ ? (૧) પહેલું તો સામાયિક લેવાનું, એમાં અનંતા જીવોને અભયદાન દેવાનો લાભ તથા સર્વ નવા પાપ-વ્યાપારના ત્યાગનો લાભ. (૨) દિનભર કે રાતભર કરેલાં દુષ્કૃત્યોથી બંધાયેલ પાપોના જુમલાનો પ્રતિક્રમણથી નિકાલ થાય. (૩) પાપો પર સાચો તિરસ્કાર ભાવ આવે. (૪) ઉભય ટંકનો ધર્મ નક્કી થઈ જાય. (૫) જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું પાલન થાય. (૬) વિગતવાર દુષ્કૃત્યોનાં સ્મરણ અને પશ્ચાત્તાપથી સારું સંસ્કરણ ઊભું થાય. (૭) પ્રતિક્રમણ ક્રિયામાં સાથો સાથ આચરાતા દેવવંદન-ગુરુવંદન કાયોત્સર્ગ વગેરેથી અનેક ગુણોનો અને સુસંસ્કરણનો ય લાભ મળે, તેમ કેઈ બીજાં કર્મોનો નાશ થાય. પ્રતિક્રમણ અદ્ભુત ક્રિયા છે. ભાગ્યવાન જીવો એની આરાધના કરી શકે, અભાગિયા શું કરે ? એને તો ‘હાય પૈસા, હાય સુખ, હાય પરિવાર...' વગેરેની જ લત હોય. એ બિચારાને પ્રતિક્રમણના અદ્ભુત લાભોની જાણે ગમ જ નહિ, તે રાત ને દિવસ અર્થ અને કામની આંધીમાં જ ફસેલો રહી એને જ જીવન સર્વસ્વ માને છે ! અને પ્રતિક્રમણને મામુલી લેખે છે ! તમે જીવન કેવું જીવવાના ? ભાગ્યશાળીનું કે અભાગિયાનું ? ભૂલશો નહિ, માનવ જીવન યોગ માટે છે, ભોગ માટે નહિ અને પ્રતિક્રમણ એ મહાન યોગસાધના છે. યોગથી ભાગ્યશાળી, ને ભોગથી અભાગિયા. મનુષ્ય જન્મ પામી યોગ સાધી જાય તે ભાગ્યશાળી. ભોગમાં જ ડૂબ્યો રહે તે અભાગિયો. ભાગ્યશાળી થવું હોય તો નક્કી કરો ‘રોજ ઉભયટંક પ્રતિક્રમણ કરવાનું, ન બને તો એક ટંક પણ કરવું, અથવા મહિનામાં આમ કુલ સાંઈઠ પ્રતિક્રમણ થાય, એમાંથી આટલા અમુક પ્રતિક્રમણ તો કરવા જ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy