________________
૧૫૦)નું ધ્યાન અને જીવન (૨) પાપનો ઉદય ભોગવી લીધાથી અને
(૩) બાહ્ય-આભ્યન્તર તપથી. (૧) પાપનાશનો સીધો પહેલો ઉપાય પ્રતિક્રમણ.
પ્રતિક્રમણ” એટલે પાછા હટી જવું. પાપથી પાછા હટવું અર્થાત્ પાપ કર્યાનો તીવ્ર સંતાપ-પશ્ચાત્તાપ અનુભવતાં, સગુરુ આગળ એનું માયા રહિત નિવેદન કરી (આલોચન કરી) પ્રાયશ્ચિત્ત લેવું અને તે વહન કરવું, એ પ્રતિક્રમણ થયું કહેવાય અને એથી પાપ નાશ પામે. અહીં પૂછો,
પ્ર. - દુષ્કૃત્ય કર્યું એટલે પાપકર્મ તો આત્મા પર ચોંટી જ ગયાં. હવે તે પ્રતિક્રમણથી નાશ કેમ પામે ?
ઉ. - પ્રતિક્રમણમાં પેલાં દુષ્કૃત્યથી વિપરીત ભાવ છે. હિંસાદિ ખોટું કામ જાણીને કર્યું એમાં રાજીપો છે, કદાચ ન છૂટકે કર્યું, તો ય એમાં બીજી વસ્તુની લાલચ છે માટે એ કર્યું, અથવા અજાણતાં થઈ ગયું તો એમાં પ્રમાદ છે, બિનસાવધાની છે, બેકાળજી છે. હવે પ્રતિક્રમણ કરે છે એમાં પસ્તાવો છે, એ પૂર્વે દુષ્કૃત્યમાં આવેલી હોંશનો છે, યા દુષ્કૃત્ય ન છૂટકે ય કરાવનાર બીજી વસ્તુની જે લાલચ હતી એનો ય પસ્તાવો છે, અથવા જે પ્રમાદનું સેવન થયું, બેકાળજી બિનસાવધાની રહી, એનો પસ્તાવો છે. આમ હોંશ, લાલચ અને પ્રમાદ, એ ત્રણે ય દોષનો પશ્ચાત્તાપ, એ દોષના અશુભ ભાવથી વિપરીત શુભ ભાવ છે. એ સહેજે પેલા મેલા ભાવથી લાગેલાં કર્મનો નાશ કરે. ભેજવાળી હવાથી લાગેલી શરદી ગરમાટથી નાશ પામે છે ને ? માત્ર ત્યાં સાવધાની રાખવાની આ, કે કોરો ઉપલકિયો પસ્તાવો ન ચાલે, ગુરુ આગળ પસ્તાવા સાથે એનું બાળભાવે સ્પષ્ટ નિવેદન કરી પ્રાયશ્ચિત્ત લેવું પડે.” એમાં જ પેલા દુષ્કૃત્ય કરતાં ખરેખરો વિપરીત શુભ ભાવ આવે. જો ગુરુ આગળ કહેવું નથી તો ત્યાં તો દિલમાં ચોરી ઊભી રહી, પછી ખાલી પસ્તાવામાં ખરેખર નીતરતો શુભભાવ શી રીતે આવ્યો ગણાય? એમ પ્રતિક્રમણ વિના કેમ ચાલે? પ્રતિક્રમણ ક્રિયાનું મહત્ત્વ :
હાં, જે સૂક્ષ્મ પાપો થયાં હોય એનો સંતાપ અને “મિચ્છામિ દુક્કડ' કરવાથી એ પાપ નાશ પામે છે. માટે તો ઉભય કાળ પ્રતિક્રમણ” નામનું આવશ્યક કરાય છે. રોજીંદા જીવનમાં દિવસ-રાત જાણ્યે અજાણ્યે આપણાથી એવાં કેટલાંય સૂક્ષ્મ દુષ્કૃત્યો આચરાઈ જાય છે, તો એનાથી આત્મા પર ચોટેલા પાપકર્મોના નિકાલ માટે દિવસ-રાતના અંતે પ્રતિક્રમણની ક્રિયા છે. જો એ પ્રતિક્રમણ ન કરો તો, વિચારો કે, એ સૂક્ષ્મ પાપો શી રીતે નાશ પામવાના ? એકલા મનના જ પાપ જુઓને, દિવસ-રાત ખોટા વિચારો, આરંભ-વિષય-પરિગ્રહના અને કષાયોના વિચાર કેટકેટલા ચાલ્યા કરે છે ? એવું વાણી અને વર્તાવથી કેટલાં પાપ ? હવે જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org