________________
ન ધ્યાન અને જીવન ૧૪– જગતનાં આ ત્રિકાળ સત્ય તત્ત્વનું મનન કરે એ “મુનિ.” રોગ આવો, પીડા આવો, અપમાન-આપત્તિ આવો, મનમાં નક્કી બેઠું હોય કે “આપણાં જ અશુભ કર્મના ઉદય વિના આપણે કોઈ બગાડનાર નથી, ને આપણાં અશુભ કર્મ ઉદયમાં આવ્યા હોય તો રોગ આપત્તિ આવ્યા વિના રહે નહિ.” સાથે આ પણ મુનિ સમજે છે કે “કર્મના ઉદયે રોગ વેદના ભોગવવા જ પડે, પણ એમાં કર્મ ક્ષય પામે છે. માટે એમને વેદનાનું આર્તધ્યાન નહિ.
૨૨. પ્રતિક્રમણથી પાપ નાશ.
iiiiiiiIIIIIIIIII
“મુનિ કોને કહેવાય? શાસ્ત્ર આ બતાવે છે કે મન્યતે જગતુ-ત્રિકાલાવસ્થામિતિ મુનિઃ જગતની ત્રણે કાળની અવસ્થાનું મનન કરે, એને હૃદયથી માન્ય કરે તે “મુનિ કહેવાય. “જગત્' એટલે વસ્તુમાત્ર. એના સ્વભાવનો ખ્યાલ કરાય એટલે એની વર્તમાન અને આગળ-પાછળની અવસ્થા પર ધ્યાન દેવું પડે. આ જગતની વસ્તુમાત્રના સ્વભાવ જોઈને જે એના પર થતી ભૂત-ભવિષ્ય-વર્તમાન અવસ્થાઓનો વિચાર કરે, એને ખોટા ખેદ કે હર્ષ શાના કરવાના હોય?
જીવ જે જડ કાયા-માયા પાછળ હરખ ઉગ કરે છે એ શાથી કરે છે ? કારણ, એ વસ્તુના નાશવંત સ્વભાવને જોતો નથી, એની પલટાતી અવસ્થાઓ યાને ત્રણે કાળનું એનું સ્વરૂપ ધ્યાનમાં લેતો નથી, માટે ખોટા હરખ-ખેદ કરે છે. મુનિ કર્મનું ત્રણે કાળનું સ્વરૂપ વિચારે છે એટલે રોગમાં શું કામ ખેદ કરે? એ તો ટંકશાળી શાસ્ત્ર-વચન યાદ કરે છે.
શાસ્ત્ર કહે છે કે –
“પુલ્વિ ખલુ ભો ગોયમા ! કડાણે કમ્માણ દુશ્ચિણાણે દુપ્પડિઝંતાણં નત્યિ અવેઈત્તા મોકખો, તવસાવા ઝોસઈતા !'
અર્થાત “હે મહાનુભાવ ! પૂર્વે ઊભા કરેલાં કર્મ જે ખરાબ રીતે ભેગાં કર્યા અને જેનું પ્રતિક્રમણ યાને જેનાથી પાછા હટવાનું બરાબર કર્યું નહિ, તેનો નિશ્ચ ભોગવ્યા વિના કે તપથી ખપાવ્યા વિના છૂટકારો થાય નહિ.”
આમાં ત્રણ વાત કરી - પાપકર્મ ત્રણ રીતે નાશ પામે.
(૧) પાપનું પ્રતિક્રમણ કરવાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org