________________
૧૪૮
ધ્યાન અને જીવન
કર્મખેલના પ્રેક્ષક અને ધર્મના શ્રદ્ધાળુ બનો ઃ
નવપદજી પર અથાગ શ્રદ્ધાવાળા અને કર્મના ખેલના પ્રેક્ષક શ્રીપાળને કોઈ ચિંતા છે ? કોઈ હરખનો ઉન્માદ પણ છે ? ના, પોતાનાં વહાણ ને બે પત્નીઓ ગુમાવી છે, હવે ક્યાં જાશું એની લેશ ચિંતા નથી. ત્યારે જેનાં શુભ કર્મ સાબૂત, એને સબ સલામત. શ્રીપાળ જાગ્યા પછી જુએ છે તો થાણાના રાજાનો માણસ ઘોડા સાથે ત્યાં રાહ જોતો એમને આવકારવા ઊભો છે ! રાજા તરફથી વિનંતી કરીને ઘોડા પર બેસાડી લઈ ગયો રાજા પાસે અને રાજાએ નિમિત્તિયાનાં વચનથી પોતાની રૂપાળી કન્યા એમને પરણાવી દીધી ! ક્યાંથી આવું બને છે ? કહો, શ્રીપાળના શુભ કર્મ બળવાન છે.
આપણું સારું કરનાર આપણાં શુભ કર્મ છે, ને આપણું બગાડનાર પણ આપણાં અશુભ કર્મ છે. મુનિને વેદનામાં આર્તધ્યાન કેમ નહિ ? એ આ સમજે છે કે આપત્તિ-પીડા એ આપણાં અશુભ કર્મના જ ઉદય છે.
અશુભના ઉદયે પીડા આવે જ, તેથી બીજા પર દ્વેષ નકામો.
પણ પીડા ભોગવતાં એટલાં અભકર્મ નષ્ટ જ થાય, તેથી રોવાનું ય નકામું.
આમાં જેને ઉપરનું અશુભના ઉદયનું અડધીયું જ યાદ હોય એ રોતડ બને છે કે હાય ! મારે કેવો પાપનો ઉદય ચાલે છે !' પણ અશુભના ક્ષયનું બીજું અડધીયું નજર સામે રાખનારને રોવાની જરૂર નહિ, એ તો ખુશી હોય 'હાશ ! ચાલો અશુભ ઓછા થાય છે.'
ગોખી રાખો – પાપ વિના પીડા આવે નહિ, ને પીડા પછી પાપ ઊભાં રહે નહિ, કેમકે પીડાને આપનાર પાપ રાશિનું કામ પૂરું થયું એટલે એ હવે કુચા બને. શેરડીનો રસ ચાખી લીધા પછી શેરડી બને કુચા. એમ પાપકર્મોનો રસ પીડારૂપે ચાખી લીધો, પછી એ કર્મ કુચા જ બને ને ? કુચા એટલે ખત્મ, આત્મા પરથી ઊતરી ગયાં હેઠાં. જીવનમાં હંમેશા આ સૂત્ર નજર સામે જ રહેવું જોઈએ કે ‘દુઃખ-પીડા જેટલી ભોગવાય એટલાં પાપકર્મ જાય છે, કચરો નાશ પામે છે, ને એવી જ રીતે જેટલી સુખ-સગવડ ભોગવીએ એટલાં પુણ્યકર્મ ઓછાં થાય છે, આત્મરૂપી તિજોરીમાંથી એટલું ઝવેરાત ઊપડ્યું.'
આપણે શેમાં રાજી ? કચરો સાફ થાય એમાં ? કે ઝવેરાત ઓછું થાય એમાં ? દુ:ખ આવે એમાં પાપનો કચરો સાફ થાય છે, તો નારાજ શું થવાનું ?
દુઃખમાં પાપની હોળી અને કચરો સાફ થવાથી આત્માને દિવાળી. સુખ સંપત્તિમાં પુણ્યની હોળી, ને આત્માને પુણ્યધન જવાથી દેવાનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org