________________
૧૪૬
ધ્યાન અને જીવન
દમયંતીએ દિલમાં એનું સામ્રાજ્ય સ્થાપી દીધું હતું.
તમારે જ્ઞાનદૃષ્ટિ-શુભ ધ્યાનનું સામ્રાજ્ય સ્થાપવું છે ? તો જડ વસ્તુને ગમતી-અણગમતી યાને આ ઈષ્ટ, આ અનિષ્ટ' એવી મુર્ખ લાગણીઓ કરવાનું રહેવા દો. જડ પ્રત્યેના રાગ-દ્વેષ અને જડથી હરખ-ખેદ કર્યા કરવાનું પડતું મુકો. મન જ્યાં સુધી ઈષ્ટ-અનિષ્ટના રાગદ્વેષ અને હર્ષ-ખેદમાં દટાયેલું રહેશે ત્યાં સુધી જ્ઞાનદૃષ્ટિ, તત્ત્વદૃષ્ટિ અને શુભ ધ્યાન નહિ સાંપડે.
એવું મન તો મોદૃષ્ટિ અતત્ત્વદૃષ્ટિ અને આર્તધ્યાનમાં પકડાયેલું રહેશે. પણ એમાં શી મઝા ? એથી જીવન ચિંતન-સંતાપ-વિહ્વળતાભર્યું જ ને ? અવિનાશી આત્માએ નાશવંત જડની પાછળ રાગ-દ્વેષ અને હર્ષ-ખેદ કરી શા સારુ આ વિટંબણા વહોરવી ?
શ્રીપાળકુમારે એ કરવાનું રાખ્યું નથી એટલે એમણે ધવલ શેઠના વહાણ ચલાવી આપ્યા પછી એનું મહેનતાણું ન માગ્યું. ઊલટું ધવલ એમને નોકરીમાં રાખવા આતુર છે, પરંતુ મોટો પગાર આપવા તૈયાર નથી તો કાંઈ નહિ, શ્રીપાળકુમાર કહે,
‘વહાણમાં ભાડું લઈને તો મુસાફરી કરવા દેશો ને ?’
ધવલ શેઠ કહે, ‘હા.'
એને છે કોઈ લાજ શરમ ? કોની પાસેથી ભાડું માગવાનું ? પણ શ્રીપાળકુમાર સ્વસ્થ છે, ‘ભલે ભાડું માગે છે તો આપવાનું', પોતે કરેલા મહાન ઉપકારના બદલાનો વિચાર નહિ ! પોતાની પાસે રહેલી અદ્ભુત જડીબુટ્ટીનો લેશમાત્ર ગર્વ નહિ !
જડના રાગ-દ્વેષ ઓછા કર્યા વિના આ મહાઉત્તમ દિલ અને સંત-વ્યવહાર આવી શકે નહિ.
શ્રીપાળની સંતતા અને મહાઉત્તમતા કેવી ? બબ્બર દ્વીપમાં શેઠ દાણચોરીમાં પકડાયા, તો પોતે રાજાને મહાત કરી શેઠને છોડાવે છે. સંત-વ્યવહાર કેવો ? શેઠે શ્રીપાળના વહાણ અને બે રાણીઓ ચાંઉ કરવા એમને દરિયામાં પટક્યા અને વધારામાં થાણામાં આવી ધવલ શેઠે એમના પર ચંડાળ કુળના હોવાનો આક્ષેપ ચડાવ્યો, છતાં થાણાના રાજાને પાછળથી સાચી હકીકતની ખબર પડતાં એ ધવલ શેઠને મારી નાખવા ઊભો થયો, તો શ્રીપાળકુમારે સંત-હૃદયથી એને બચાવ્યો ! આ મહાઉત્તમતા અને સંત-વ્યવહાર શાના ઉપર ?
ઈષ્ટ-અનિષ્ટની બહુ કિંમત ન આંકવા પર, એની પ્રત્યે રાગ-દ્વેષ અને હરખ-ઉદ્દેણમાં ન ફસવા પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org