________________
ન ધ્યાન અને જીવન ઉ૫શા માટે આ ત્યાગ ? આર્તધ્યાનથી યા પતિના મોહથી નહિ કે “હાય ! મારા પતિ મને છોડી ગયા ? બળ્યું, હવે ખાવા-પીવા વગેરેની લહેર કરવાનું શું કામ છે ? બળ્યા એ રસ ! બળી સાડીઓ, શમ્યા ને શણગાર !” ના, મોહથી આ નથી છોડ્યા, પણ શીલની રક્ષાર્થે છોડ્યા છે. ત્યારે શીલરક્ષાની કેટલી તમન્ના? એ આર્તધ્યાન નથી. ત્યાગ પણ કેવા જોરદાર ? પતિ બાર વર્ષે મળવાના છે તો ત્યાં સુધી છએ વિગઈ બંધ ને ? ચાલે દૂધ વિના ? ગોળ-ખાંડ વિના ? ઘી વિના ? રોજ માત્ર એક વિગઈનો ત્યાગ પણ મોંઘો પડે છે ને ? પર્વ તિથિએ બ્રહ્મચર્ય પાળવું છે તો ત્યારે ગધેલું ત્યાગ ને ? ટાપટીપ-શોભા ત્યાગ ને ? બાર-બાર વરસ સુધી આ બધું કેવી રીતે છોડ્યું હશે ? પણ શીલને પરમ ધન અને સદ્ગતિ-પ્રાપ્તિના પ્રાણ માન્યા છે, પ્રાણ સલામત તો દેહ-જીવન સલામત, એમ શીલ સલામત તો આત્મજીવન સલામત, સદ્ગતિ પ્રાપ્તિ સલામત. એની આગળ વિગઈરસ અને શયા-શણગારની શી વિસાત હતી ?
જ્ઞાનદેષ્ટિ-તત્ત્વદેષ્ટિની આ જ ખૂબી કે કોઈ પણ પ્રસંગને આર્તધ્યાનમાં ન ઉતારતાં ધર્મધ્યાનમાં ઉતારે.
કેમ બને એ?
પ્રસંગ પામીને ઈષ્ટ-અનિષ્ટના હરખ-ખેદમાં તણાવને બદલે આત્મગુણ અને ધર્મની પ્રાપ્તિ-રક્ષાવૃદ્ધિના વિચારમાં ઉતરી જાય, તો દુષ્યનને બદલે શુભ ધ્યાન લાગે. દમયંતીના શીલ-શ્રદ્ધાના બળનો પ્રભાવ :
દમયંતીએ આ કર્યું. પતિનો વિયોગ થતાં ઈષ્ટવિયોગના ખેદના કલ્પાંતને બદલે શીલરક્ષાના વિચારમાં એ ઉતરી, એથી જ એ અશુભ ધ્યાન આર્તધ્યાનમાં ન પડતાં શુભ ધ્યાનમાં ચડી. સાત સાત વરસ તો ગુફામાં રહેવું પડ્યું ! છતાં ત્યાં કલ્પાંત કર્યા નથી, શુભ ધ્યાનમાં રમતી રહી છે. શાંતિનાથ ભગવાનના શાસનકાળમાં છે તેથી જંગલમાં એ પ્રભુની માટીની મૂર્તિ બનાવી રોજ પુષ્પપૂજા અને ભગવાનનું ધ્યાન-જપ-સ્મરણ કરે છે, ભગવાન પર શ્રદ્ધાબળ વધારતી જાય છે. એ બળ એવું વધ્યું કે ભારે વરસાદની હેલીમાં તાપસો તણાઈ જાય એવું હતું તો દમયંતીએ તાપસોની આસપાસની જમીન પર એક મોટું કુંડાળું કરી તાપસોને એમાં રાખી એટલી જગામાં પોતાના શીલ-શ્રદ્ધાના બળે પાણી ઉપરથી પડતું કે વહી આવતું અટકાવ્યું !! શીલ-શ્રદ્ધાનો આ પાવર ક્યાંથી આવ્યો?
કહો, જ્ઞાનદેષ્ટિ-તત્ત્વદેષ્ટિ અને શુભ ધ્યાનના સામ્રાજ્ય પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org