________________
ધ્યાન અને જીવન
શરીર બગડી ગયું, માંદા પડ્યા, ત્યાં જો એમ વિચાર આવે કે ‘હાય, શરીરસુખ અને ખાનપાન વગેરેનાં સુખ ગયાં ! રોગની ભારે વેદના આવી !', તો એ આર્તધ્યાનમાં જાય. પરંતુ જો એમ વિચાર આવે કે ‘અરે ! શરીર સારું હતું ત્યારે ત્યાગ તપસ્યા વગેરે આરાધના કરી નહે, હવે આ માંદલા શરીરે કેવી રીતે આરાધના થશે ? ફિકર નહિ, આભ્યન્તર તપ કરવા લાગું, તો આ શુભધ્યાનમાં કેમકે પછી એના પર તો સૂતાં સૂતાં ય હવે નવકાર-જાપ, મહાપુરુષોની સહનશીલતાનું ધ્યાન, અરિહંતનું ધ્યાન, કષાયોનો ઉપશમ, વિષયવૈરાગ્ય વગેરે જે જે આરાધના શક્ય હશે એ કરવા તરફ લક્ષ રહેશે. તો બોલો ત્યારે, જે ધ્યાન આવી આરાધનાની પ્રેરણા આપે એને સારું ધ્યાન કહેવાય કે નરસું ? એ દુર્ધ્યાન કે શુભધ્યાન ?
જાય.
૧૪૪
એમ, જુઓ, પૈસા ગુમાવ્યા ત્યાં જો મનને એમ થાય કે ‘હાય ! સુખનું સાધન ગયું. હવે લહેર શી રીતે ઉડાવાશે ? લોકમાં માન શી રીતે મળશે ?' તો આ દુર્ધ્યાનમાં જાય.
પૈસા જતાં શુભ ધ્યાન કેવું ? :
પરંતુ જો એમ વિચારાય કે ‘અરે ! પૈસા ગયા, આજીવિકાની ચિંતા ઊભી થઈ, તો હવે દેવદર્શનાદિ-ધર્મ, ચિત્તની સમાધિપૂર્વક શી રીતે થશે ! પણ શા માટે ફિકર કરું ? પૈસા એ ભાગ્યની વસ્તુ છે, દેવ-દર્શન-આદિ એ પુરુષાર્થની ચીજ છે. નબળું ભાગ્ય પણ સુધારવું હશે, તો તે ધર્મ-પુરુષાર્થથી સુધરશે. માટે દેવદર્શનાદિ-ધર્મમાં અધિક શ્રદ્ધા-સંવેગથી ઉદ્યમ કરવા દે. ભાગ્યના વાંકે પુરુષાર્થની વસ્તુ આત્મકલ્યાણ શા માટે ગુમાવવું ? એમાં શા સારુ ચિત્તની અસમાધિ અસ્વસ્થતા રાખવી ? ચિત્તની સમાધિ શું કામ ખોવી ?
દમયંતીની શીલરક્ષા માટે ચાર મહાપ્રતિજ્ઞા :
ચિત્તની સમાધિ એ મહાન ગુણ છે. એની રક્ષાનો વિચાર શુભ ધ્યાનમાં જાય છે. દમયંતીને શીલરક્ષાનો વિચાર છે. એટલે જો કે હવે પતિના અદૃશ્ય થવામાં પિયરનો રસ્તો લેવો પડે એમ છે, કિન્તુ એટલેથી એ પતાવતી નથી, એ તો હવે પ્રતિજ્ઞા કરે છે કે - પતિ ન મળે ત્યાં સુધી મારે
(૧) દૂધ-દહીં-ઘી-તેલ-ગોળ સાકર-કઢા (તળેલું) એ છ વિગઈનો ત્યાગ.
(૨) રંગીન વસ્ત્રનો ત્યાગ,
(૩) પથારીનો ત્યાગ,
(૪) શણગાર-વિભૂષાનો ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org