________________
ધ્યાન અને જીવન
૧૪૩
પૈસા કમાવવા પાપો હોંશથી કર્યાં, તો પાપ ધોવા દાન પણ હોંશથી રાચીમાચીને કરવાં જોઈએ.
દમયંતીનો આ હિસાબ છે કે પતિની સાથે જો મહેલવાસનાં સુખ ભોગવતાં આવડ્યાં, તો વનવાસનાં દુઃખ પણ ભોગવતાં આવડવું જ જોઈએ.' એટલે નળના કહેવા છતાં એ પિયર જવા તૈયાર નથી. નળને એ કહે છે, ‘તમે ચિંતા ન કરશો, વનમાં પણ તમારી સાથે જ હું છું. તેથી મને આનંદ છે, દુઃખ નથી. પિયર મહેલમાં જાઉં તો દુઃખી થઈ જાઉં, માટે મને એવું કહેશો નહિ, સુખ પણ કર્મના વિપાક છે અને દુઃખ પણ કર્મના વિપાક જ છે, આપણાં અશુભ કર્મ આપણે આનંદથી ભોગવવાનાં.'
પતિના વિયોગનાં ભારી દુઃખમાં ય આર્તધ્યાન કેમ નહિ ? :
દમયંતીને કર્મવિપાકનું શુભ ધ્યાન છે, પણ તે ક્યારે ? હાય ઈષ્ટ ગયું, અનિષ્ટ આવ્યું !' એવું આર્તધ્યાન નથી તો જ. એટલે જ જ્યારે નળરાજાને દમયંતી વનવગડામાં ભટકવાનાં કષ્ટ ભોગવે એ વસ્તુ પર ધીરજ ન રહી અને અડધી રાતે એને છોડીને નળ ચાલી ગયો, ત્યારે દમયંતીને વનવાસનું જે દુઃખ નહોતું લાગ્યું એ હવે પતિના વિયોગનું દુ:ખ લાગે છે. કહો આમાં આર્તધ્યાન નહિ ? ના, જુઓ એની વિચારધારા, જુઓ એનું પગલું.
દમયંતી એ વિચારે છે કે -
પતિએ મને પિયર મોકલવા આ રસ્તો લીધો છે. પણ શું હું કષ્ટની કાય૨ અને મહેલના સુખોની ભૂખી છું ? હવે તો મારે મોટી આપદા આવી. મારું યૌવન થનમનાટ કરી રહ્યું છે. તો પતિના વિયોગમાં એ કામરાગનાં તોફાન નહિ જગાવે એની શી ખાતરી ? તો પછી મારે મારા શીલનું રક્ષણ કેવી રીતે કરવાનું ?'
જુઓ પતિના વિયોગનું દુઃખ પતિસુખ લુંટાઈ જવાના વિચાર પર નથી, કિન્તુ શીલરક્ષાની ચિંતા ૫૨ છે. આને આર્તધ્યાન ન કહેવાય. શીલરક્ષાની ભાવના એ મહાન ગુણ છે. એનું સાધન ખોવાવા પર ચિંતા થાય, દુઃખ થાય, એ તો શુભ ધ્યાન છે, શુભ વિચાર છે.
અશુભ ધ્યાનને શુભમાં ફેરવવાની ચાવી :
બસ, ખૂબી આ છે કે પ્રસંગ એકનો એક,
એ જ પ્રસંગને જડ સુખદુઃખનાં કાટલે જુઓ તો આર્તધ્યાન, અને
ગુણરક્ષા-અરક્ષાના હિસાબે જુઓ તો શુભધ્યાન.
એટલે શુભધ્યાન બનાવવા આ ઉપાય થયો કે પ્રસંગને ગુણરક્ષાની દૃષ્ટિથી જુઓ, સુખદુઃખની દૃષ્ટિથી નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org