SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ધ્યાન અને જીવન ફિકર નહિ, પાસે જો હૃદયમાં અરિહંત આદિ નવપદ છે તો, જીવન ટકો યા ાઓ, અવિનાશી આત્માને કોઈ વાંધો નથી આવવાનો.' નવપદ ઉપર આ શ્રદ્ધાબળ અને એનું જ નિર્મળ ધ્યાન એ શાને આભારી હતું ? પેલા આર્તધ્યાનની પીડા નહિ, મનમાં જડના હરખ-ખેદ કે રાગ-દ્વેષની ખરાબી નહિ, એને આભારી હતું. ભવી જીવને શુભ ધ્યાનનો અભખરો થાય છે, સારો અભખરો છે, ખરાબ નહિ, કિન્તુ એનો અધિકાર મેળવવા માટે આ જરૂરી છે કે આર્તધ્યાનનું જોર દબાવાય, એ માટે જડની પાછળના હરખ-ખેદ અને રાગ-દ્વેષને અટકાવાય. નહિતર મન જો એમાં તણાયું, તો ઈષ્ટસંયોગ-અનિષ્ટ-વિયોગનાં આર્તધ્યાન થયા વિના રહેશે નહિ. ઈષ્ટ પર રાગ છે, ને ઈષ્ટ મળ્યાનો હરખ છે, પછી આ ઈષ્ટ મળો, મળ્યું છે તો ટકો' - એવું આર્તધ્યાન કેમ નહિ થાય ? એમ અનિષ્ટ પર દ્વેષ છે, ને એ મળ્યાનું દુઃખ છે, પછી ‘આ કેમ ન આવો, આવેલું કેમ ટળો', એવું આર્તધ્યાન કેમ નહિ થાય ? ત્યારે, આર્તધ્યાનમાં ગુંથાયેલું મન શુભ ધ્યાનમાં શી રીતે લાગી શકવાનું ? દમયંતીને નળરાજા રાજ્ય હારી જંગલમાં જવાના અવસરે કહે છે, ‘જુઓ, આ તમે મને જુગારથી વા૨વાનું કરવા છતાં, મારી અવળચંડાઈએ જુગાર ન છોડ્યો, તો બધું ગુમાવ્યું. તો હવે મારી ભૂલે તમે કાં વનમાં રખડતા થાઓ ? જાઓ તમે તમારા પિયેર. તમે અત્યંત સુકોમળ છો, જંગલમાં ભટકવાનું તમારું કામ નહિ.' ત્યાં દમયંતી શું કહે છે ? આ તમારા પાપે રાજ્યસુખ ગયું...' એવાં ટોણાંમેણાં મારવાનું કામ નહિ. એ તો કહે છે, ‘આ શું બોલ્યા ? પતિ વનમાં ભટકતા અને પત્ની મહેલમાં લહેર કરે ? એ ના બને. તમારી સાથે જેવું સુખ ભોગવતાં આવડતું હતું. તેવું દુ:ખ ભોગવતાં પણ આવડવું જોઈએ. મને આવડે છે.’ ખાવાનાં પાપ હોંશથી તો એ પાપ ધોવા તપ હોંશથી : પાપ દુષ્કૃત્ય રાચી-માચીને કરતાં આવડ્યું, પણ શું હવે પાપને ખતરનાક સમજ્યા પછી ય એને હોંશપૂર્વક ધોતાં કે એનો સહર્ષ ત્યાગ કરતા નથી આવડતું ? એ કેમ ચાલે ? ઉપવાસ શા માટે કરવાનો ? ‘ખાવાનું પાપ બહુ કર્યું છે, પણ એ બહુ ખોટું થયું છે માટે લાવ આજે એને છોડું, એ માટે આજે મારે ઉપવાસ.' શું ? ખાવાનું પાપ ધોવા સારુ ઉપવાસ. તો એ ઉપવાસ કેટલી હોંશથી થવો જોઈએ ? ખાવાનું રાચી-માચીને કરતાં આવડે અને ઉપવાસ એ રીતે નહિ, ઉપવાસમાં હોંશ-હરખ નહિ, તે માંદલાપણે અને પરાણે પ્રીત જેવું થાય, એ કેમ ચાલે ? પાપ રાચી-માચીને કરતાં આવડ્યાં, તો પાપત્યાગ પણ રાચીમાચીને કરતાં આવડવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy