________________
(૧૪૧
ધ્યાન અને જીવન - જશે, ઊલટું એ રાગ-દ્વેષની ખરાબીઓ વહોરશે અને તત્ત્વચિંતન તથા સંવેગ. વિરાગ, ક્ષમા, દયા વગેરે નિર્મળ ગુણોની કેળવણી કરવાનું ભૂલશે.
જુઓ જડના રંગ પર મનના રંગ ન ઉઠવા દેવા માટે બે વાત આવી –
(૧) પોતાની ગણાતી કિંમતી ચીજ પણ પોતાની નથી ગણવાની. નાશવંત જડ એ અવિનાશી આત્માનું હોય નહિ. પછી જે પોતાની નહિ, એના હરખ-ખેદ શા કરવા? એમાં મૂર્ખતા છે, અવિનાશીને બગાડવાનો ધંધો છે.
(૨) બહારની સારી નરસી ચીજમાં મન ઘાલવા જતાં અને રાગ-દ્વેષ કરવા જતાં સ્વાત્માની ચિંતા ભૂલાય છે અને આત્મા એ વિકારોથી ખરાબીવાળો બને છે.
શ્રીપાલકુમારને
(૧) એક બાજુ શ્રી નવપદજીની આરાધનાનું શિક્ષણ છે કે નવપદનો ઉપાસક શમ-દમવાળો હોય, “શમ” એટલે ક્રોધાદિ કષાયોનું શમન અને “દમ” એટલે વિષયોમાં ખેંચાતી ઈન્દ્રિયોનું દમન, નિયંત્રણ. તો જેમ પોતે નવપદજીની ભક્તિ અને એનાં સ્મરણનો ખપ રાખ્યો છે એમ આ શમ-દમને સાથે જ જરૂરી માની એનો પણ ખપ રાખ્યો છે.
(૨) બીજી બાજુ એમની પાસે આ તત્ત્વજ્ઞાન પણ છે કે “અવિનાશી આત્માએ નાશવંત જડના ગમનાગમન પર પોતાના રંગ ન બગાડાય, હરખ-ખેદ યા નાશવંતના સારા-નરસાપણા પર રાગ-દ્વેષ કરવાના હોય નહિ.” આ રાગ-દ્વેષ-હર્ષખેદ નહિ, પછી ઈષ્ટસંયોગ કે અનિષ્ટવિયોગનાં આર્તધ્યાન શું કામ એ કરે ? આમ કહો,
શમ-દમ અને આત્મતત્ત્વના ખ્યાલથી આર્તધ્યાન અટકે.
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIm
૨૧. શુભ ધ્યાન કેમ લાગે ?
,
I
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
I IIIII
હોં, આવા આર્તધ્યાનનું અને હર્ષ-ખેદ યા રાગ-દ્વેષનું જોર નથી, માટે જ શ્રીપાળકુમાર શ્રી નવપદજીનું શુભ ધ્યાન કરી શકે છે. જો આર્તધ્યાન અને હર્ષ-ખેદ વગેરેની મેલી લાગણીઓમાં એ મરતા હોત, સડતા હોત, તો કાંઈ શુભ ધ્યાન લાગત નહિ, શ્રી નવપદના ધ્યાનમાં લીનતા લાવી શકતા નહિ. પછ દરિયામાં ફેંકાતી વખતે નવપદજીમાં નિશ્ચિત મન ક્યાંથી રાખી શકત ? “હાય ! મારે શરીર પર આ આપત્તિ ? મારે દરિયામાં ડૂબી મરવાનું ?' એ લોથ મનમાં લાગી હોય ત્યાં નવપદમાં શાનું મન જ રહે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org