________________
(૧૪૦)નું ધ્યાન અને જીવન પારકા પદાર્થ પર પણ રંગ કયા ફરે? :
પ્ર. - એમ તો પારકા માનેલા કોઈના બંગલા, મોટર કે શરીર રૂડારૂપાળા દેખાતાં રાગ થાય છે, ને ખરાબ દેખાતાં અરુચિ થાય છે ને ? પારકા પર મનના રંગ ન ફર્યા?
ઉ. - ફર્યા, પણ રાગ-દ્વેષ થયા એટલું જ, હરખ-ખેદ નથી થતા. કોઈ સારી મોટર લાવે એટલે આપણે ખુશીખુશી નથી થતા, કે “ચાલો મોટર આવી ઠીક થયું.” કોઈનો બંગલો કે એનું શરીર-રૂપ બગડી ગયું તેથી કાંઈ આપણે ખિન્ન નથી થતા કે “હાય ! બંગલો બગડી ગયો.' હરખ-ખેદના મનના રંગ “આપણી' માનેલી ચીજ પર થાય છે, “પારકી માનેલી પર નહિ. હા, રાગ-દ્વેષ થાય છે ખરા, કિન્તુ ત્યાં પણ જો ડહાપણથી વિચારાય કે –
“મારે આ ફરેબી પદાર્થો પર ફરેબી થવાની શી જરૂર છે?
મારે જગતના પદાર્થો પર “આ સારું, આ ખરાબ” એવા મફતિયા સિક્કા મારવાની કે ફોગટિયા સર્ટિફિકેટ આપવાની શી જરૂર ? એથી મને શું મળે ? કોઈની મોટર સારી માની તેથી કાંઈ,
(૧) એ મને એ વાપરવા નથી આપવાનો, વળી (૨) મોટર ખરાબ નથી થવાની એવું પણ નથી, તેમજ
(૩) એ બહારનાંને “સારું-ખરાબ” “સારું-ખરાબ', માનતો ફરીશ એમાં મારા આત્માનું હિતાહિત વિચારવાનો અવકાશ જ નહિ રહે.
નિયમ છે કે બહારમાં ફરે એ ઘરમાં ન હોય.
જગતના જડ પદાર્થોનું જ વિચાર્યા કરવું હોય એને જાતને પોતાના આત્માનો વિચાર ક્યાંથી આવી શકે ? એને ફુરસદ જ ન હોય. પેલામાંથી ઊંચો આવે તો આના સામું જુએ ને ? દુનિયાના કાજી બનેલા માણસોની દશા જુઓ. એ બહારમાં જ પડેલા હોય છે એટલે ઘરના હૈયા-છોકરાની સંભાળ લેવાની એમને ફુરસદ જ નથી. તમારું જ જુઓને. તમને બહાર વાતચીતો ને હરવાફરવામાં છોકરાના આત્માની સંભાળ લેવા ફુરસદ જ નથી ને? એવું આમાં છે,
જગતનું જોતા ફરો એટલે જાતનું ભૂલાવાનું. માટે,
જો પોતાના આત્માની જાગતી ચિંતા રખાય તો બહારના પદાર્થ પર “સારા-ખરાબ'ના વિચારમાં નહિ પડાય. જાતની પહેલી ચિંતા આ, “રાગ-દ્વેષના વિકારથી બચું.”
ત્યાં ખ્યાલ રહેશે કે જો આ બહારમાં મન ડહોળ્યું તો સ્વાત્માનું વિસરાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org