________________
તે ધ્યાન અને જીવન ૧૩૯ – ઉ. - ના, પોતાના પણ પારકા જેવા માનો તો એના પર પણ મનના રંગ ફેરવવાની જરૂર નહિ. જનીનો છોકરો, જે નવી પત્ની કર્યા પછી પતિને નવીના મોહમાં અને એની રીતરસમમાં, પારકા જેવો લાગી જાય છે તો પછી એ છોકરાની કમાણી કે ખોટ પર યા એના આરોગ્ય કે મંદવાડ પર બહુ કાંઈ હરખ શોક થતો નથી. બસ આ ચાવી છે –
મનના રંગ ન ફેરવવા હોય તો જડને પરાયું માની એના પરથી મમતા ઉઠાવો, “આ મારું પોતાનું છે' એવી લાગણી ઉઠાવી લો.
દેખો છો કે બહાર દુનિયામાં જે ચીજ પોતાની નથી માની, એના સુધરવા-બગડવામાં આપણા મનને હરખ-ખેદ નથી થતો, તો પછી જે આપણી છે એને પણ આપણી ન માનીએ તો એના રંગ ફરવા પર શા સારુ મનના રંગ ફરી હરખ-ખેદ થાય ? તમને લાગશે કે
પ્ર. - વસ્તુ આપણી હોય, ને “આપણી નથી એવું કેમ મનાય?
ઉ. - આ રીતે માની શકાય કે વિચારાય કે “જીવ ! તું આ વસ્તુને ક્યાં સુધી ખરેખર “મારી' કરી શકવાનો ? માણસ પોતાના કમાયેલા પૈસાને, છોકરો ઘરમાં અધિકારી બની બેઠા પછી, પહેલાં જેવા પોતાના નથી માની શકતો. પહેલાં જેમ કોઈને પૂછ્યા વિના ઉદારતાથી ખરચતો હતો, એમ હવે નથી કરી શકતો. છોકરાને પૂછવું પડે છે, એનો રાજીપો જોવો પડે છે. આમાં એ પૈસા ક્યાં પહેલા જેવા પોતાના” રહ્યા? ઘેલછા છે કે નાશવંત વસ્તુને અવિનાશી આત્મા પોતાની માને. પોતાની ન માની તો સાચવે કેમ? :
પ્ર. - પણ પોતાની ન માને તો પછી એને રાખવાનું – સાચવવાનું કેમ થાય?
ઉ. - કર્મવશ એ તો થાય, પૈસા કમાય, લાવે, સાચવીને મૂકે, બધું થતું હોય છતાં પાકો ખ્યાલ રાખી શકાય કે આ મારી ચીજ નહિ. ધાવમાતા રાજકુમારને કેવો રાખે છે, સાચવે છે ? કર્મવશ એ કરવું પડે છે. પણ અંતરમાં પાકો ખ્યાલ છે કે આ કાંઈ મારો દીકરો નહિ. ત્યારે તો સમક્તિ દષ્ટિ જીવ માટે કહે છે ને કે,
“સમકિતદેષ્ટિ જીવડો, કરે કુટુંબ-પ્રતિપાળ, અંતરસે ન્યારો રહે, જિમ ધાવ ખેલાવત બાળ.”
- શરીર, પૈસા, કુટુંબ બધું ય રખાય-સચવાય, પણ દિલમાં સચોટ બેઠું હોય કે “આ ફરેબી પદાર્થો મારા નહિ', ને એમ માન્યા પછી એના રંગ ફરે તેથી આપણા મનના રંગ ફેરવવાની શી જરૂર ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org