SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૧૩૫ (૨) ત્યારે ગાળ દેનારા સામે આપણું ચાલે એવું હોય તો ય સામે ગાળ કે રોફ નહિ, કેમકે દેવ-ગુરુની હુંફ સામાની ગાળ કે અપમાનને અકિંચિત્ ગણાવે છે. દેવ-ગુરુ જે મારું સારું કરી રહ્યા છે, એની આગળ સામાનાં સન્માન પણ કશી વિસાતમાં નથી, એનાં સન્માન મારું શું બહુ ભલું કરવાનાં હતાં ? મારું ભલું તો દેવ-ગુરુ કરે છે.'' સંપત્તિ મિજાજી શ્રીમંત કન્યા જેવી : એમ સારી સંપત્તિ-સગવડ-સન્માન મળે એના પર મદ પણ ન થાય, કેમકે દિલમાં દેવ-ગુરુની હુંફ એટલી જોરદાર છે કે પેલાની કોઈ એવી હુંફ નથી કે ‘હાશ ! ઠીક થયું આ સંપત્તિ મળી...' ત્યારે જેની હુંફ નહિ એના પર મદ શો ? પરણવા કરોડપતિની કન્યા મળી હોય, પરંતુ જો એ તુંડમિજાજી અને બીજાની સમક્ષમાં આપણું અપમાન કરનારી હોય તો એવી પત્નીથી હુંફ નથી રહેતી. તેમ એ મળ્યા પર મદ પણ નથી થતો. એવું સંપત્તિ-સગવડ-સન્માન મળ્યા પર મદ નહિ, હૂંફ નહિ. સ્વાત્માનું અનંતકાળનું હિત દેવ-ગુરુથી થાય છે, તેથી એ મળ્યા પર હૈયે હુંફ, હાશ અને હોંશ હોય. દેવગુરુનું શ્રદ્ધાબળ આ, કે હૃદયમાં હુંફ દેવગુરુની હોય. પછી આપત્તિ આવો તો ય આત્મા મસ્ત રહે, બેપરવા રહે, સમજે કે સંપત્તિ-આપત્તિ તો બહારની આ ભવની ચીજ છે. અંદરની પરભવે સાથે ચાલનારી ચીજ તો દેવ-ગુરુ છે. મારે તો અંદરની વસ્તુ સાથે સંબંધ હોય. બહારની વાત-વસ્તુ પર શા લેખાં માંડવાં ? મનની મસ્તીમાં સહાયક દેવ-ગુરુ અને એમનાં સિદ્ધાન્તો છે. એમનાથી ગમે તેવા સંયોગોમાં હું મસ્ત રહી શકું છું. આમ દેવ-ગુરુનો જ સહારો માનનારને આપત્તિમાં ય હુંફ છે. એટલે જ શ્રીપાળ દરિયામાં ફેંકાતી વખતે ય નવપદનું સ્મરણ કરી નિશ્ચિંત રહે છે ! જાણે કાંઈ ખરાબ બન્યું જ નથી ! કશું આર્તધ્યાન નહિ. આપત્તિમાં તમને આવડે આ ? આવડે તો ન્યાલ થઈ ગયા ! ત્યાં કોઈ જ દુર્ઘાન નહિ, બાહ્યનું કોઈ લેખું જ નહિ. કોઈ રોદણું થાય નહિ, નવપદનાં શરણમાં સર્વ કાળે નિશ્ચિન્તતા. નવપદની ખરી આરાધનામાં શું આવે ? : શ્રીપાળને નવ પદ પર અથાગ અનન્ય શ્રદ્ધાબળ છે, ઉપરાંત ગુરુએ બતાવ્યું હતું કે ‘નવપદની ખરી આરાધના ક્ષમા-ઉદારતા-ઈંદ્રિયસંયમ-મનોદમન વગેરે રાખીને થાય', એટલે શ્રીપાળ કુમારે એ ગુણો સાથે જ રાખ્યા છે. તેથી, જુઓ કે, ભાગ્યના જોરે ધવલના દાવમાંથી બચાવ તો મળી ગયો છે છતાં પણ, પછી મારવાની પેરવી કરનારો એ ધવલ જ્યાં ક્ષમા માગી વહાણ ચલાવી આપવા કરગરે છે ત્યાં આ ગુણોના લીધે શ્રીપાળ ક્ષમા આપી દે છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy