________________
– ૧૩૪ન ધ્યાન અને જીવન | તેમ વર્તમાનમાં ય કઈ ચિંતા વ્યગ્રતા અને દુર્ગાનથી દુઃખદ રિબામણ આપે ! ત્યાં શું શું લીલું વળ્યું ? ત્યારે સુખ સંપત્તિને લાવનાર પુણ્યની ય હુંફ મનાય નહિ. કેમકે,
(૧) પુણ્ય તો ઠગારું! ક્યારે એ અટકી પડે એનો ભરોસો નહિ, તેમ
(૨) પુણ્ય હોવા માત્રથી નવાં પુણ્યની ભરતી ન થાય, પણ પુણ્યનો માલ ધર્મમાં જતો કરાય તો જ પુણ્ય વધે.
(૩) પુણ્ય તો ઉદયમાં આવી આવીને રવાના થનારી જાત!
એમાં શી હુંફ માનવી? હુંફ તો દેવ-ગુરુ-ધર્મનું શરણ પકડવામાં છે. સાચી હુંફ દેવ-ગુરુથી છે. દેવ-ગુરુનો પ્રભાવ જ એવો છે, એમની કૃપા જ એવી વરસી રહી છે, કે શું આફત-પ્રતિકૂળતા કે શું અનુકૂળતા, બંનેમાં મારું સારું જ થઈ રહ્યું
આફતમાં, મારા દેવ-ગુરુ એમનાં પોતાના જીવનથી અને ઉપદેશથી મને શીખવી રહ્યા છે કે, “આપત્તિથી પાપકચરો સાફ થવાનું ચાલે છે, ત્યાં ચિંતા શી ? વળી આફત છતાં દિલમાં દેવગુરુ સલામત છે, પછી ફિકર શી ? રોદણું શું? આફતના આશીર્વાદ કે દેવ-ગુરુ-ધર્મ પર ભાવ વધે છે. ત્યારે,
અનુકૂળતામાં દેવ ગુરુની કૃપા હોઈ એમની વિશેષ આરાધના થાય છે. એટલે હંફ તો દેવ-ગુરુ ધર્મનાં શરણમાં છે. એ જે મારી પાસે છે એ અમૂલ્ય અનુપમ નિધાન છે, પછી મારે શી ફિકર ? એમના ધ્યાનમાં મારું કદાચ અકાળે ય મૃત્યુ પણ થઈ જાય તો એ મારે અનંતકાળમાં ય નહિ મળેલી એક ધન્ય ઘડી ગણાય ! એથી મારી સદ્ગતિ જ થાય.
““અહીંનું જવાનું તો વહેલું કે મોડું જવાનું જ હતું. પછી એ વહેલું ય જાય છે તો ય એની ચિંતા શી? દિલમાં દેવગુરુ છે એ અમર છે, એજ તારણહાર છે.”
દેવગુરુની આવી હુંફ પર જીવતાં આવડે તો જીવનમાંથી કઈ વલોપાત. કઈ મદ, કેઈ ધમધમાટ ચાલ્યા જાય, ને આર્તધ્યાનને જગા જ નહિ.
(૧) કોઈ ગાળ દઈ ગયું, અપમાન કરી ગયું અને સામે આપણું કાંઈ ચાલે એવું નથી, છતાં વલોપાત નહિ, રોદણું નહિ કે “હાય ! શું કરું? મારું પુણ્ય નથી તે આવું અપમાન આવે છે.” ના, એવી કશી દીનતા જ નહિ, કેમકે મનમાં બેઠું છે – “માન તો બે પૈસાની ચીજ, પણ મારી પાસે મારા હૃદયમાં લાખ રૂપિયાના દેવ-ગુરુ છે, મારે શી કમીના છે? એ શીખવે છે કે જો, આવા માણસો બિચારા અજ્ઞાન છે, કર્મથી પીડાઈ રહ્યા છે, સવ્વ જીવા કમ્યવસ, એમ કરી એમની દયા ખાજે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org