________________
ધ્યાન અને જીવન
દુઃખમાં ય ધર્મ કેમ નહિ ? :
બોલો, આજે તમારે મોંઘવારી, અછત વગેરેની આપત્તિ આવી છે ને ? તો ધર્મ વધાર્યો ? ‘ચાલ, પહેલાં પ્રભુપૂજામાં મારું દૂધ, મારું સુખડ, મારું કેસર, મારી અગરબત્તી-વરખ... વગેરે નહોતો લઈ જતો, તે હવે ધર્મ વધારવો છે માટે લઈ જાઉં', એવું કરો છો ને ? ના, કેમકે પુણ્ય નબળું પડ્યે ખાનપાનાદિ માટે તો પૈસા પહોંચે છે પણ ‘ધર્મ માટે મારી પાસે પૈસા કે સમય ક્યાં પહોંચે છે ?' એવાં દંભી રોદણાં જ આવડે છે. પુણ્ય વધારવાનું ધર્મ વધારવાનું આવડતું નથી !
શું ખબર નથી કે પુણ્ય પાપને ઠેલે ?
દુઃખ આવ્યું એ પુણ્ય ખુટ્યાની નિશાની છે, ને પાપોદયની સુચક છે. તો હવે શું કરવાનું ? પુણ્ય વધારવાનું ? કે પાપ ?
ધર્મને આજે શ્રીમંતાઈમાં ય ક્યાં જગા છે ? :
૧૩૩
(૧) પુણ્યના ઉદયમાં એની હુંફે છકેલપણું છે તે ત્યાં ય પાપો સૂઝે છે ! આજના પુણ્યશાળીઓ રાત્રિભોજન કરે છે ને ? મદ-રોફ-રોષ કરે છે ને ? જુઠ, અનીતિ-દંભ ? ધર્મની બેપરવાઈ ? દેવાધિદેવના ય શેઠ બનવાનું ? ગુરુનો ખપ નહિ ? કહો પુણ્યના ઉદયમાં ધર્મને જગા છે ?
(૨) ત્યારે, પાપના ઉદયમાં ધર્મને જગા ખરી ? ના, કેમકે ‘શું કરીએ સાહેબ ? નોકરી છે એટલે રાત્રિભોજન કરવું પડે છે', આ બહાનું છે. પછી એમ રાત્રિભોજન ખુલ્લું એટલે ભોજન ઉપરાંત રાતના દસ-અગિયાર-બાર વાગ્યા સુધી ચાહ-પાણી ચેવડા ખુલ્લા ! પાપના ઉદયમાં જિનભક્તિમાં પોતાના થોડામાંથી થોડું ય રોજ વાપરવાનું ખરું ? સામાયિક-પ્રતિક્રમણ ખરું ? ના, ‘શું કરીએ ? નોકરીમાં થાકી જઈએ છીએ, પછી પ્રતિક્રમણ શી રીતે થાય ?' ‘આવક પહોંચતી નથી, એટલે જિનભક્તિ ક્યાંથી થાય ?' આ બહાનાં છે. હમણાં ઓવર ટાઈમ કામના પૈસા મળતા હોય તો વધારે કલાક ભરવા તૈયાર ! ત્યાં થાક નથી નડતો. નડે છે થાક માત્ર ધર્મની વાતમાં ! કહો, ધર્મને ક્યાં જગા છે ? પુણ્યના ઉદયમાં ? કે પાપના ઉદયમાં ? પુણ્યની જ હુંફવાળાને ધર્મ માટે બિચારાને જગા જ નથી દેખાતી ?
(૩) એ તે દેવગુરુનાં શરણમાં હુંફ માનનારને ત્યાં ધર્મને જગા છે. એને સુખસંપત્તિ હોય તો ય એ સમજે છે કે
ય
Jain Education International
-
ધર્માત્માની સમજ : શ્રદ્ધાની હુંફ કેવી ? :
‘આ તો બધાં સંપત્તિ-સુખ ચાર દિવસનાં ચાંદરણાં છે ! આ સંપત્તિ-સગવડની હુંફ રાખી ન બેસાય. આ કાંઈ જીવનું ભાવી લીલું વાળે નહિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org