SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન દુઃખમાં ય ધર્મ કેમ નહિ ? : બોલો, આજે તમારે મોંઘવારી, અછત વગેરેની આપત્તિ આવી છે ને ? તો ધર્મ વધાર્યો ? ‘ચાલ, પહેલાં પ્રભુપૂજામાં મારું દૂધ, મારું સુખડ, મારું કેસર, મારી અગરબત્તી-વરખ... વગેરે નહોતો લઈ જતો, તે હવે ધર્મ વધારવો છે માટે લઈ જાઉં', એવું કરો છો ને ? ના, કેમકે પુણ્ય નબળું પડ્યે ખાનપાનાદિ માટે તો પૈસા પહોંચે છે પણ ‘ધર્મ માટે મારી પાસે પૈસા કે સમય ક્યાં પહોંચે છે ?' એવાં દંભી રોદણાં જ આવડે છે. પુણ્ય વધારવાનું ધર્મ વધારવાનું આવડતું નથી ! શું ખબર નથી કે પુણ્ય પાપને ઠેલે ? દુઃખ આવ્યું એ પુણ્ય ખુટ્યાની નિશાની છે, ને પાપોદયની સુચક છે. તો હવે શું કરવાનું ? પુણ્ય વધારવાનું ? કે પાપ ? ધર્મને આજે શ્રીમંતાઈમાં ય ક્યાં જગા છે ? : ૧૩૩ (૧) પુણ્યના ઉદયમાં એની હુંફે છકેલપણું છે તે ત્યાં ય પાપો સૂઝે છે ! આજના પુણ્યશાળીઓ રાત્રિભોજન કરે છે ને ? મદ-રોફ-રોષ કરે છે ને ? જુઠ, અનીતિ-દંભ ? ધર્મની બેપરવાઈ ? દેવાધિદેવના ય શેઠ બનવાનું ? ગુરુનો ખપ નહિ ? કહો પુણ્યના ઉદયમાં ધર્મને જગા છે ? (૨) ત્યારે, પાપના ઉદયમાં ધર્મને જગા ખરી ? ના, કેમકે ‘શું કરીએ સાહેબ ? નોકરી છે એટલે રાત્રિભોજન કરવું પડે છે', આ બહાનું છે. પછી એમ રાત્રિભોજન ખુલ્લું એટલે ભોજન ઉપરાંત રાતના દસ-અગિયાર-બાર વાગ્યા સુધી ચાહ-પાણી ચેવડા ખુલ્લા ! પાપના ઉદયમાં જિનભક્તિમાં પોતાના થોડામાંથી થોડું ય રોજ વાપરવાનું ખરું ? સામાયિક-પ્રતિક્રમણ ખરું ? ના, ‘શું કરીએ ? નોકરીમાં થાકી જઈએ છીએ, પછી પ્રતિક્રમણ શી રીતે થાય ?' ‘આવક પહોંચતી નથી, એટલે જિનભક્તિ ક્યાંથી થાય ?' આ બહાનાં છે. હમણાં ઓવર ટાઈમ કામના પૈસા મળતા હોય તો વધારે કલાક ભરવા તૈયાર ! ત્યાં થાક નથી નડતો. નડે છે થાક માત્ર ધર્મની વાતમાં ! કહો, ધર્મને ક્યાં જગા છે ? પુણ્યના ઉદયમાં ? કે પાપના ઉદયમાં ? પુણ્યની જ હુંફવાળાને ધર્મ માટે બિચારાને જગા જ નથી દેખાતી ? (૩) એ તે દેવગુરુનાં શરણમાં હુંફ માનનારને ત્યાં ધર્મને જગા છે. એને સુખસંપત્તિ હોય તો ય એ સમજે છે કે ય Jain Education International - ધર્માત્માની સમજ : શ્રદ્ધાની હુંફ કેવી ? : ‘આ તો બધાં સંપત્તિ-સુખ ચાર દિવસનાં ચાંદરણાં છે ! આ સંપત્તિ-સગવડની હુંફ રાખી ન બેસાય. આ કાંઈ જીવનું ભાવી લીલું વાળે નહિ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy