________________
૧૩૨
ધ્યાન અને જીવન
હુંફ કોની રાખશો, પુણ્યોદયની ? કે ધર્મશ્રદ્ધાની ? ધર્મની ? શ્રદ્ધાબળની આ કસોટી છે કે એ ધર્મશ્રદ્ધા ભાગ્ય કરતાં વધુ હુંફ આપે.
ભાગ્યબળે શ્રીપાલે ધવલના સુભટોને જીત્યા એમાં જે હૈયે હુંફ હતી, એના કરતાં એમને ધવલે દરિયામાં પાડ્યા, ત્યાં નવપદની શ્રદ્ધાના બળે અધિક હુંફ હતી. મારી પાસે નવપદનું શરણ છે, મારે શી ચિંતા છે ?' આવી ઘોર આપત્તિમાં હુંફ, એ કેટલી બધી મોટી હુંફ ? એ હુંફમાં કદાચ કર્મવશ ડુબવાનું થાય તો ય ચિંતા-સંતાપ જરા ય નહિ.
તમે સુખ સંપત્તિમાં પુણ્યની હુંફ માણતા હશો, પણ આપત્તિમાં દેવ-ગુરુ -ધર્મની હૂંફનો અનુભવ છે ?
માણસ ત્રણ પ્રકારના
(૧) મૂઢ માણસ તો જડ-સંપત્તિથી હુંફ માને છે.
(૨) જરાક સમજુ માણસ એનાં કારણભૂત પુણ્યથી હુંફ માને છે. ત્યારે, (૩) ખરો વિવેકી માણસ દેવ-ગુરુ-ધર્મનાં શરણથી હુંફ માને છે.
હવે ત્રણની દશા જુઓ -
(૧) જડ સંપત્તિ વગેરેથી હુંફ માનનારો એમાં આંધળો થઈને દોડે છે. પોતાનું પુણ્ય પહોંચે છે કે નહિ એ જોવાની વાત નહિ. તે આંધળી દોટમાં પુણ્ય ખુટ્યું એવી પછાડ ખાય છે બીજાઓ પર ભારે દ્વેષ ને કલ્પાંતનો પાર નહિ ! ત્યાં આર્તધ્યાનનાં અઢળક આંદોલનોથી પીડાય છે. પરિણામ ? પેલું પુણ્ય ચટણી કર્યું તો કર્યું, પણ નવી સિલકમાં પાપની જ ભરતી ! પહેલાં આંધળી દોટ વખતે કરાતા અને પછી કલ્પાંત વખતે કરાતા અઢળક આર્તધ્યાનથી તિર્યંચગતિના ભરચક પાપ-ભાતાંની ભરતી ન થાય તો બીજું શું થાય ? વધારે મૂઢતા હોય તો રૌદ્રધ્યાનથી નરકનાં ભરપૂર ભાતાંની કમાઈ !
(૨) પુણ્યથી હુંફ માનનારો મનમાં એટલું વિચારે છે કે ‘આ સંપત્તિનો ભરોસો ક૨વા જેવો નથી એ તો પુણ્યનો ઉદય છે એટલે એના પ્રતાપે આ સંપત્તિ છે.' પછી પુણ્ય કાચું પડ્યે સંપત્તિ જાય, તો બીજા ત્રીજાને ગાળ નહિ દે. પોતાના કર્મને રોશે, પણ રોશે ખરો, ‘હાય ! મારે પાપનો ઉદય, તે સંપત્તિ ગઈ. અરેરે ! હવે શું કરું ?' એમ દીન દુ:ખીયો થશે, પુણ્યની હુંફ હતી, પુણ્ય ગયું હુંફ ગઈ એટલે હિંમત હારી જશે. આર્તધ્યાનમાં પડશે. એમાં જો વળી પુણ્ય વધારવાનું ધર્મનું આલંબન કરે તો તો ભાગ્યશાળી, પણ સુખની લીલામાં અને દુઃખ-આપત્તિની પીડામાં ધર્મ વધારનારા કેટલા ? કોક વિરલા જ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org