________________
ન ધ્યાન અને જીવન ૩ - ધર્મ તરીકે ક્ષમા-ઉદારતા-પરોપકારવૃત્તિ પણ જોર કરે છે. મૂળથી આ ગુણો, એમાં વળી નવપદની આરાધનાએ એના શ્રદ્ધાબળના ગુણ સાથે ક્ષમા-ઉદારતાદિ ગુણોમાં વિશેષ વૃદ્ધિ કરેલી.
“નવપદ' એટલે ? અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય-સાધુ એ દેવ-ગુરુના દર્શક પાંચ પરમેષ્ઠિપદ અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ એ ચાર ધર્મના દર્શક પદ, એમ કુલ નવ પદ. એની શ્રીપાળે સુંદર આરાધના કરી છે. એમાં પ્રેરક બની છે પત્ની મયણાસુંદરી. એ ખરેખર ધર્મપત્ની છે.
ધર્મમાં પ્રેરે એ ધર્મપત્ની. બાકી તો કર્મપત્ની, દગો દેનારી પત્ની.
મોહરૂપી વિષના કટોરા પાઈ પાઈને પાપકર્મના પોટલાં બંધાવનારી હોય એ કર્મપત્ની. ઋષભદાસ કવિ કહે છે –
વિશ્વાસે વહાલા કીધા, પિયાલા ઝેરના પીધા, પ્રભુને વિસારી દીધા રે. સંસારિયામાં કામિનીએ વશ કીધો, ઘરને ધંધે ઘેરી લીધો, ઋષભદાસ કહે દગો દીધો રે, સંસારિયામાં. સગું તારૂં કોણ સાચું રે, સંસારિયામાં.”
જે પતિ-પત્નીને પરસ્પર ધર્મના સંબંધ નથી, ધર્મની પ્રેરણા નથી દેવાની, એ એક બીજા પર ભાસે વિશ્વાસ મૂકી અન્યોન્યને વહાલા કરે છે અને મોહરૂપી કાતિલ ઝેરના પ્યાલા પીએ છે, ને પાય છે. એ પીવામાં એવા ગાઢ મગ્ન છે કે ત્યાં પ્રભુને યાદ કરવાની વાત નથી. પછી જીવનભર આ ઝેર પી પીને બાંધેલા કર્મનાં પોટલાં સાથે મરીને રવાના થયે દશા કઈ ? અહીં એક-બીજાથી બહુ હંફ માનેલી, તે મરણ સમયે ને પછી પરલોક સિધાવ્યું ત્યાં પરસ્પરની હુંફ મળે ખરી ? પતિ કે પત્ની માનવ છતાં જે જનાવર કુતરા-કુતરીની જેમ એકલા મોહવિષના કટોરા પાવા-પીવાનું જ કરે, ને ધર્મનાં અમીપાન કરવા-કરાવવાની કોઈ વાત જ નહિ, તો એ કર્મપતિ-કર્મપત્ની જ બને ને ?
મયણાસુંદરી સાચી ધર્મપત્ની છે, પતિ શ્રીપાળ કુમારને ધર્મગુરુ પાસે લઈ જઈ નવપદની સમજ અપાવનારી બની છે, સાથે રહીને નવપદની આંબલ તપથી આરાધના કરાવનારી બની છે. એ પવિત્ર અને ગુણોથી યુક્ત આરાધનાએ શ્રીપાલના કોઢ રોગને નાબૂદ કર્યો છે ! પછી નવપદ ઉપર શ્રદ્ધા કેટલી બધી બળવાન બની જાય ? ભાગ્યનો ચમકારો હુંફ આપે એના કરતાં પણ એ શ્રદ્ધાબળ અધિક હુંફ આપનારું બન્યું છે. બોલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org