________________
૧૩૦
ધ્યાન અને જીવન
હોય છે ! તમને શી વાર હતી ? ધાર્યું હોત તો આ મારા બધા સુભટોને પરલોક પહોંચાડી દેત. પણ આપની કેવી ઉદારતા ને મહાનતા કે એકને પણ માર્યા નહિ ! ધન્ય જીવન ! ધન્ય અવતાર ! તમારું કેવું મોટું મન ! ત્યારે હેં ભાઈ ! મારાં વહાણ દેવી શિકોતરીએ અટકાવી દીધા છે, તે તમે ન ચલાવી આપો ? હું તમારે પગે પડું છું, આજીજી કરું છું, આટલું મારું કામ કરી આપો. તમે તો દેવતાઈ પુરુષ છો.’
ચાલ્યું ચાટુ. કેવો ગરીબડો થઈને ધવલશેઠ કાલાવાલા કરી રહ્યો છે ! શ્રીપાળનું ભાગ્ય જોર કરે છે, એટલે એમની સામે મોટી સમૃદ્ધિ અને સુભટોવાળો તથા રાજાની હુંફવાળો પણ ધવલશેઠ એમનું કાંઈ જ ખરાબ કરી શકતો નથી, ને અંતે પગે પડી ચાટુ કરે છે. ત્યારે વિચારો.
જીવન જીવતાં કોનો સહારો લેવા જેવો ?
વૈભવ-સામગ્રી અને જાતવડાઈનો ? કે
ભાગ્ય મજબુત કરી આપે એવા ધર્મનો ?
ધવલશેઠ પાસે ઘણો ધનવૈભવ અને સુભટ-સામગ્રી હતી, પણ એનો જ સહારો રાખીને એનું શું વળ્યું ? એને અંતે શું મળ્યું ?
મહાવીર ભગવાનનો જીવ ત્રીજા ભવે મરીચિ, તે દાદા ઋષભદેવ પ્રભુનાં સમવસરણની સમૃદ્ધિ જોતાં જ વિચારે છે કે ‘મારા પિતા ભરત મહારાજા મોટા ચક્રવર્તી, એમના ય ઘેર આ સમૃદ્ધિનો જોટો નથી ! ને આવી અનુપમ સમૃદ્ધિ મારા દાદા પ્રભુ ઋષભદેવને છે તે ધર્મના પ્રતાપે છે. સંસારમાં સમૃદ્ધિ માત્ર ધર્મને પરતંત્ર. તો પછી
હું ધર્મને પરતંત્ર એવી સમૃદ્ધિના શરણે બેસી રહેવાને બદલે મૂળ ધર્મનું જ શરણ કાં ન લઉં ? મૂળને છોડી ડાળને સાચવતો કોણ બેસે ?
બસ, ‘જીવનમાં ધર્મનો જ સહારો લેવા જેવો છે, ધર્મને જ શરણે જવા જેવું છે', એ વિચાર પર મરીચિ વૈરાગ્ય પામી ગયો ! અને ચક્રવર્તીના ઘરનાં સમૃદ્ધિ સુખ છોડી એણે પ્રભુનું ને પ્રભુના ધર્મનું શરણું લીધું. એટલે ? સંસાર છોડી પ્રભુ પાસે ત્યાં જ ચારિત્ર લઈ લીધું ! સહારો કોનો લેવા જેવો ? ‘હાય પૈસા ! હાય દુકાન !' નો ? કે ધર્મનો ?
તમને હૈયે હુંફ શાના પર ? પૈસાથી હુંફ ? કે ધર્મથી ?
ભાગ્યના જોર વિના તો ફાંફા મારવાના છે અને ધર્મ વિના ભાગ્ય જોરદાર બનતું નથી.
શ્રીપાળકુમારનું ભાગ્ય તો જોર કરે જ છે, પણ એની સાથે એમના દિલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org