________________
ધ્યાન અને જીવન આ દુનિયામાં કોઈ એવા સતા નથી કે જે, આપણાં શુભ કર્મ ઉદયમાં હોય તો, આપણું બગાડી શકે.
ધવલશેઠ શ્રીપાળનું ઘણું ય બુરું કરવા ગયો, પણ શ્રીપાળનાં કર્મ સારાં, તેથી બુરું શાનું થાય ? ઊલટું એમનું સારું જ થતું ગયું ! શ્રીપાળ ઘરેથી એકાકી જ નીકળેલા, તે ભરૂચમાં આવેલા. સસરાના નામથી પોતાની ઓળખ ન રુચી તે પુરુષાર્થ કરવા નીકળ્યા હતા. ત્યાં ધવલશેઠે પોતાનાં થંભી ગયેલાં વહાણ ચલાવવા માટે દેવીને બત્રીસ લક્ષણા પુરુષ તરીકે શ્રીપાળનો ભોગ આપવા તજવીજ કરેલી. ભરૂચના રાજા પાસેથી કોઈ પરદેશીનો ભોગ આપવાની મંજુરી મેળવી અને પોતાના સુભટોને નગરમાં તેવા કોઈ પુરૂષને પકડી લાવવા મોકલ્યા. સુભટોએ શ્રીપાલને સુલક્ષણો ને એકાકી દેખી પૂછ્યું – “કોણ છે ભાઈ તું? ક્યાંનો વતની ?'
શ્રીપાળ કહે, “હું પરદેશી છું.'
“એમ? ચાલ ત્યારે તારો કાળ આવી લાગ્યો છે. રાજાની મંજુરીથી અમારા શેઠને દેવી આગળ તારો ભોગ આપવો છે.” ભાગ્ય બચાવે, હોશિયારી નહિ ?
જોજો ધવલના સેંકડો સુભટો છે. વધારામાં જોઈએ તો શ્રીમંતાઈના જોરે એને રાજાના સૈનિકો મળે એમ છે. હવે શ્રીપાળકુમારને એકલવાયાને બચાવ મળે ? માણસની હોશિયારી કેટલે સુધી કામ કરે ? પરંત કહો ભાગ્યની ઓથ હોય એ બચાવનું જબરું કામ કરી જાય છે. શ્રીપાળનું ભાગ્ય જોરદાર છે, તે એને રસ્તામાં વિદ્યાધરે મંત્રિત જડીબુટ્ટી બાંધી આપેલી, એવી કે એનાથી કોઈનું શસ્ત્ર એને લાગે નહિ. હવે સુભટો એના પર બાણ ફેકે કે તલવાર ચલાવે, પરંતુ શ્રીપાળને ઘા શાનો લાગે ? ત્યારે શ્રીપાળ શસ્ત્ર ચલાવે એના પ્રહાર તો સુભટો પર ચાલવાના જ છે. છતાં એ દયાળુ છે એટલે કોઈને મારી નાખવાના પ્રહાર કરતા નથી, માત્ર હેઠા પડે કે ભાગી જાય એટલો જ ચમકારો બતાવે છે. સુભટો બિચારા હારી ગયા, તે ભાગીને શેઠ ધવલને બોલાવી લાવ્યા. ધવલશેઠે પણ જોયું કે “માન ન માન, પણ આ કોઈ દૈવી સહાયવાળો મહાન પુરુષ છે. માટે હવે તો એજ મારા વહાણ રોકનારી શિકોતરી દેવીને હટાવી શકે. માટે લાવ એને પ્રાર્થના કરું.' એકાકી શ્રીપાળને ધવલશેઠ ચાટુ કરે છે ?
ભાગ્ય જોર કરતું હોય તો મોટો માતબર વૈભવી પણ વૈભવ વિનાનાને પગે પડતો આવે ! મોટા વૈભવી ધવલશેઠ એકલદોકલ એવા શ્રીપાળનું હવે ચાટ કરવા લાગે છે ! “હે ભાઈ ! તમે તો મહાપુરુષ છો. અમે તમને ઓળખ્યા નહિ, તેથી અમારી ભૂલ થઈ, માફ કરજો. ઓહો ! આ જગતમાં મહાન પુરુષો કેવા ઉદાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org