SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૮ન ધ્યાન અને જીવન | જવા બેસે એનું દુઃખ નહિ, નહિતર તો શોક ને પોક ભારે ! “હાય ! મારે મરવાનું ?' એમ થાય. એ શરીર તો લેભાગુની જમાતનું છે, માટે એ છે ત્યાં સુધી આપણે તો વિચારની મક્કમતા યાને સ્થિતપ્રજ્ઞતા રાખી એની પાસેથી કામ કાઢી લેવાનું. રોગમાં આર્તિધ્યાન ન થવાનાં બે કારણ - (૧) મધ્યસ્થતા, ને (૨) કર્મફળ વિચાર : (૧) મુનિ રોગમાં ચિકિત્સા કરાવે છે છતાં એમને આર્તધ્યાન કેમ નથી એની આ વાત ચાલે છે, એમાં એક કારણ બતાવ્યું કે મુનિ મધ્યસ્થ છે. એમને શરીર પર રાગ નથી, રોગ પર દ્વેષ નથી. એ સમજે છે કે “શરીર પણ એક દિ' જનારું, રોગ પણ જનારો. એવા નાશવંત પદાર્થ પર રાગ-દ્વેષ શા રાખવા?' (૨) મુનિ રોગ-વેદનામાં આર્તધ્યાન ન કરે એનું બીજું કારણ આ, કે રોગના મૂળમાં એમને પોતાના કર્મ-વિપાકનો વિચાર છે, ખ્યાલ છે. એ જુએ છે કે “આ જે રોગ-વેદના-આપત્તિ આવી એ મારાં પોતાનાં બાંધેલા પૂર્વ કર્મના ઉદયને લીધે જ છે. અશુભ કર્મના ઉદય વિના આપત્તિ આવે નહિ. મારા અશુભોદય વિના મારું શરીર ખરાબ થાય નહિ. દુનિયામાં કોઈ એવી સત્તા નથી કે જે જીવના અશુભ કર્મવિના, એનું બગાડી શકે.” * * * ૧૯. શ્રીપાલ-ધવલ : જીવને હંફ શેનાથી ? ધવલ શેઠે ઘણા ય ફાંફા માર્યા પણ શ્રીપાલકુમારનું કશું બગાડી શક્યા નહિ. ઊલટું એમાં તો શ્રીપાલનું સારું સારું જ થતું ગયું ! શ્રીપાલનાં વહાણ અને એની બે રાજકન્યા - પત્નીઓ કન્જ કરી લેવા ધવલે શ્રીપાલને વહાણમાંથી નીચે દરિયામાં પાડ્યા, ત્યારે શ્રીપાલના શુભોદયે તરાપાની જેમ નીચે મગરમચ્છની પીઠ બેસવા મળી ! ને એ મગરમચ્છ એમને એવા થાણા બંદરે ઉતારી દીધા કે જ્યાંના રાજાએ પોતાની કુંવરી નિમિત્તિયાનાં વચનથી આ અજાણ્યા ને એકલવાયા પણ શ્રીપાલને પરણાવી ! શ્રીપાલકમારને અશુભ કર્મ ઉદયમાં નહોતા તો ધવલ એમનું શું બગાડી શક્યો? ભલે ને બગાડવા ગયો પણ શ્રીપાલના શુભોદયે ઊલટું સારું થયું. એક તો થાણાના રાજની કન્યા પરણવા મળી, ને બીજું, ધવલ પાછો થાણા જ આવતાં શ્રીપાલને પોતાનાં વહાણ અને બે પત્નીઓ સુરક્ષિત મળી ગઈ ! આવું સારું બનવાનું એકવાર નહિ, અનેકવાર બન્યું ! કેમકે શ્રીપાળનાં કર્મ ઉદયમાં સારાં હતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy