________________
-લોન ધ્યાન અને જીવન - રહેવાની. આ સ્થિતિ જાળવી રાખવા માટે મુનિ રોગમાં ચિકિત્સા કરે છે. “રોગથી દુર્બળ કાયા, પીડાતી કાયા, શાસ્ત્રાભ્યાસમાં એવું જોર મારી શકતી નથી, તો લાવ સહેજ દવા-ઉપચાર કરી લઉં, જેથી શાસ્ત્રાભ્યાસ સરસ ચાલ્યા કરે” - આ ઉદ્દેશ છે. મુનિને એવા બીજા પણ સારા ઉદ્દેશો છે, તેથી ચિકિત્સા કરે છે, બાકી પીડા નહિ ગમવાનો સવાલ નથી, શારીરિક સુખાકારિતાનો રાગ નથી, પીડાનો દ્વેષ નથી, એનું નામ મધ્યસ્થભાવ.
રાગ-દ્વેષના પ્રવાહમાં તણાઈ જવાનું નહિ, વચ્ચે મધ્યમાં ઊભા રહેવાનું એ મધ્યસ્થતા. જે શરીરનો રાગ તાણે નહિ, તો એના પરની આપત્તિ-રોગ વખતે એનાં દ્વેષમાં તણાઈ જવાનું ન બને.
એક બાજુ રાગ થાય છે એટલે જ બીજી બાજુ દ્વેષ જાગે છે. પૈસા, કુટુંબ, દુકાન, બધા ય જીવને રાગમાં તાણે છે, રાગ કરવા પ્રેરે છે. પછી જે એના પર આપત્તિ આવી, તો ઠેષને હાયવોય ઉઠવાના. રાગ અને દ્વેષ આવવાનો. પૈસા પર રાગ છે એને ઓછી આવક અને મોંઘવારી પર દ્વેષ થવાનો. કુટુંબ ઉપર રાગ છે એને કુટુંબના માંદા કે આઘાપાછા થવામાં હાયવોય થવાની. રાગમાં તણાઓ તો વૈષમાં તણાવું પડશે. રાગની પીડા ઓછી, તો વૈષની પણ પીડા ઓછી.
પર પદાર્થો એના રાગમાં તણાનારાને અંતે દ્રોહ કરનારા છે. આત્મામાંથી નીકળી બહારમાં તણાયા, બહારની ચીજ પર રાગ કર્યો, એટલે દ્વેષ હાયવોય આવવાનું સમજી રાખવાનું. પણ રાગ શું કામ કરો ? સમજી રાખવું જોઈએ કે “આ જેના પરના રાગમાં તણાઉં છું એ બહારની જમાત તો એવી છે કે અવસરે જીવનો દ્રોહ જ કરે છે. સંયોગો નાશવંત છે, એટલે બહારના સંયોગ ટકવાના નથી. તેથી એક અવસરે એ જવાના, જીવને રખડતો કરવાના. એ જાણે કહેશે, “અમે તમારા નહિ, દુનિયા આખી તમારી નહિ. તમે જાઓ, અમે તો અહીં રહેવાના.' જીવને આ બહારના જડ-ચેતન પદાર્થો એક દિ' શીખ આપી દેવાના. મરનારને કોઈ “આવજે' એમ પણ કહેતું નથી. કેમ? કદાચ ભૂત થઈને આવે તો? એ જાણે ભય છે ! આ ને આ રૂપે રહેવું હોય તો રહો, બીજા રૂપે નહિ. કેટલાં ય આજે પૂર્વ જન્મનાં સ્મરણવાળાને પૂર્વના સંબંધીઓ રાખવા તૈયાર નથી ! તેમ આ જનમના થયેલા સંબંધીઓ એને છોડવા તૈયાર નથી ! બહારના સંયોગોની કેવી વિષમતા ? માણસ મરતો હોય ત્યારે ઘર-દુકાન-તિજોરી, બાયડી- છોકરા - કુટુંબ, બધું સલામત છે, પણ પોતે જ સલામત નથી. બધા ય અહીં જ રહેવાના, કોઈ જ જીવની સાથે જવાનું નહિ. જડ સંયોગો છણછણતી કરોડપતિની કન્યા જેવા :
ગમે તેવા સારા સુખકારી લાગતા પણ પર પદાર્થો સંયોગમાં આવ્યા ત્યારથી જાણે જીવને કહે છે કે “અમે એક વખતે તને તદ્દન મૂકી દેવાના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org