________________
૧૮. મુનિને રોગમાં આર્તધ્યાન કેમ નહિ ?
એનો ઉત્તર કર્યો કે મુનિ રોગ વખતે ય મધ્યસ્થ રહે છે માટે એમને આર્તધ્યાન નહિ. “મધ્યસ્થ” એટલે કે રાગ-દ્વેષની ઊંચી-નીચી ખાડા-ટેકરાની ભૂમિ પર ચડ-ઉતર કરનારા નહિ, પણ એની મધ્યમાં સામ્યવસ્થાની સપાટ ભૂમિ પર રહેનારા. અર્થાત્ એ શરીરના રાગમાં કે રોગના દ્વેષમાં તણાનારા નહિ.
પ્ર. - જો રોગ પર દ્વેષ નથી તો એને કાઢવાનો પ્રયત્ન કેમ કરે છે?
ઉ. - એ પ્રયત્ન આગળ કહેશે એવા સતત શ્રુતપયોગ, હૃતવૃદ્ધિ, ગચ્છસંભાળ આદિ અર્થે કરે છે. શ્રુત એટલે શાસ્ત્ર, શાસ્ત્ર કહેલ તાત્ત્વિક પદાર્થ, એમાં ને એમાં ચિત્ત કેમ રહે, એની વૃદ્ધિ કેમ થતી રહે ઈત્યાદિ-ઉદ્દેશથી પ્રયત્ન કરે છે. “રોગ પીડે છે, ખરાબ છે, એ સહાતો નથી”, એવો વલોપાત નથી, એની કાયરતાથી યત્ન નથી, પરંતુ રોગમાં મન જવાથી શાસ્ત્રચિંતન તત્ત્વ ચિંતન ઘવાયા છે, ત્રુટક પડે છે, તેથી રોગ ટાળવાનો પ્રયત્ન છે. એવા બીજા પણ ઉદેશ છે તે આગળ કહેશે એવા સારા ઉંચા ઉદેશ છે માટે ચિકિત્સાનો પ્રયત્ન છતાં પીડાનો વલોપાત નથી ! પીડા પર દ્વેષ નથી અને સુખકારિતા પર રાગ નથી. આનું નામ મધ્યસ્થભાવ, કાયાની પીડા-અપીડાની શી બહુ કિંમત આંકવી હતી ? કિંમત તો આત્માના સ્વાથ્ય-અસ્વાથ્યની છે. આત્મા સ્વસ્થ હોય, સમતા-સમાધિમાં હોય એની કિંમત છે. કેમકે આત્મા જે અસ્વસ્થ હોય અસમાધિમાં હોય તો દીર્ઘકાળ પડ્યા કરે એવા કર્મબંધનથી બંધાય છે. સ્વસ્થ હોય, સમાધિમાં હોય તો કર્મબંધ અટકે છે, ઉપરાંત જુનાં કર્મોનો નિકાલ થાય છે.
પ્ર. - આત્મા સ્વસ્થ યાને સમાધિમાં કેમ રહે? ઉ. - એ રહે શાસ્ત્રચિતનમાં પરોવાયેલા રહેવાથી.
મન શાસ્ત્રમાં લાગ્યું રહે એટલે બીજા-ત્રીજા રાગ-દ્વેષભર્યા વિચારો, સંકલ્પ વિકલ્પો અને કષાયોમાં જાય નહિ. આ નિયમ છે કે મન એક જ ઠેકાણે રહે. જો સારામાં રોકાયું, તો ખરાબમાં જતું અટકવાનું. સારું છે શાસ્ત્ર-પદાર્થોનું ચિંતન-મનન. મનને એમાં રોકી રાખો પછી ભૂંસા કુટવાનું બંધ. મનને ખોરાક જોઈએ છે, સારો ખોરાક આપો તો કચરો નહિ ખાય. બહુ સીધું કામ છે મનનું. એને સારા શાસ્ત્રાભ્યાસનું તત્ત્વચિંતનનું કામ આપી દીધું એટલે એ ખોટા વિકલ્પો-વિચારો નહિ કરે અને સારામાં રોકાયું રહેવાથી સ્વસ્થતા સમાધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org