SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ન ધ્યાન અને જીવન ૧૨૩મન બગાડ્યું ત્યાં બચાવ નહિ મળે, ઉધારો ય નહિ, તરત કર્મ ચોંટ્યા જ સમજો. આર્તધ્યાન એ મનનો બગાડો છે, ને એના પર તિર્યંચગતિ યોગ્ય અશુભ કર્મો આત્મા ઉપર ચોંટી પડે છે. ધર્માત્મા પણ મરુભૂતિ એમજ તિર્યંચ હાથીનો અવતાર પામ્યો ! અલબત એની ધર્મસાધના ધર્મભાવના રદબાતલ નથી, કેમકે એના સુસંસ્કાર આત્મામાં પડેલા છે. એ વળી સારું નિમિત્ત મળતાં એને ઊંચે લઈ આવશે. હાથી બનેલ મરુભૂતિને એવું નિમિત્ત મળી આવ્યું અને એ ઉંચે આવ્યો. પણ નિમિત્ત ન મળ્યું હોત તો શું થાત ? એ તો સારું થયું કે, - રાજા અરવિંદ ધર્માત્મા મરુભૂતિના એવા દુઃખદ મૃત્યુ બાદ અત્યંત વિરક્ત થઈ સંસાર છોડી ચારિત્ર લે છે, સંયમ તપ સ્વાધ્યાય વગેરે તન તોડીને સાધના કરે છે, ને શરીરનો કસ ખેંચાય એટલો ચે છે ! કેરીનો રસ કાઢતાં જેમ એને ઠેઠ ગોટલા સુધી નિચોવીને રસ ખેંચી લો ને ? બસ, અરવિંદ રાજર્ષિ એ રીતે કાયા ને મનનો કસ ખેંચવા લાગ્યા. એમાં એમને અવધિજ્ઞાન થયું ! એકવાર જંગલમાંથી સાથે સાથે પસાર થતા રાજર્ષિ સામે એજ હાથી મારવા દોડતો આવ્યો, પણ પૂર્વના સ્નેહથી ઊભો રહી ગયો તો રાજર્ષિએ એ અવધિજ્ઞાનથી એને ઓળખી બોધ આપ્યો, “બુઝ બુઝ મરુભૂઈ !” એમ કહી કહી જાગ્રત કર્યો. હાથીએ પણ એના પર ચિંતન-ઉહાપોહ કરતાં, એને પોતાના પૂર્વ જન્મનું સ્મરણ થયું. ત્યાં એણે પૂર્વ જનમમાં સહેજ દુર્બાન કરેલું તેથી આ પોતાની થયેલી મહાદુર્દશા નિહાળી. એણે ફરીથી ત્યાં સમકિત પામી વ્રતો લીધા અને તિર્યંચ હાથી છતાં ત્યારથી શ્રાવક ધર્મ પાળવાનું રાખ્યું. એમાં ય હાથીએ મુખ્યપણે આર્તધ્યાનથી બચવા માટે ભારે કશીશ રાખી. કેમ વાર? (૧) એટલા જ માટે કે આર્તધ્યાન પર તરત જ કોઈ બીજી અપેક્ષા વિના ને ક્ષણના વિલંબ વિના અશુભ કર્મબંધની સજાનાં જજમેન્ટ પડે છે. દુર્બાન કરો કે તરત અશુભ કર્મો બાંધો. જે એ દુઃખદાયી કર્મબંધ જોઈતા નથી, તો પછી આર્તધ્યાન ન થવા દેવા માટે પાકી જાગૃતિ રાખવી જ પડે. (૨) બીજું કારણ એ કે આગળ પરની ખબર નથી કે કર્મવશ કેવા સંયોગ આવે? કેવી પરિસ્થિતિ સર્જાય? કેવા ભારે દુઃખદ ઈષ્ટવિયોગ અનિષ્ટ સંયોગ યા વેદના ખડી થાય ? તેમજ અંતકાળે તો વળી કેવી ય પરિસ્થિતિ હોય ? હવે જો અત્યારે સારા-સારીમાં યા સામાન્ય ઈષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ કે રોગમાં આર્તધ્યાનથી બચવાનો અભ્યાસ જ ન રાખ્યો તો એવી ભાવી આપત્તિ વખતે આર્તધ્યાન કેમ અટકી શકે? ત્યાં ભારે આપત્તિ વખતે કેવું ભયંકર આર્તધ્યાન થવાનું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy