________________
ધ્યાન અને જીવન તુરછ અને નાશવંત જડ વસ્તુને તો પશુઓ અને અનાર્યો મન સોંપે. મારું મન તો તત્ત્વજ્ઞાનના રોપાઓ માટેનું ઉદ્યાન છે, આર્તધ્યાનનો ઉકરડો નહિ. માટે આર્તધ્યાન આવતાં જ ઈષ્ટને પડકાર કરું કે “તારામાં ખરેખર મનગમતું છે જ શું? કશું જ નથી', ને અનિષ્ટને કહ્યું કે “તું કાંઈ મારું બગાડી શકે એમ નથી.'
નાની વાતને મહત્ત્વ આપવાની કંગાળિયત, વલોપાત કરવાની નિઃસત્ત્વતા, ને વલોપાતનાં નુકસાન ન સમજવાની મૂર્ખતા હું ન કરું.’
વેદનાનાં આર્તધ્યાનમાં ય સાવધ થઈ એ આર્તધ્યાનને હટાવવાનું. દવાની, ડાક્ટરની, પથ્યની, હવાની બહુ ચિંતા નિષ્ફળ છે અને રોગની પીડાની હાયવોય નકામી છે. ચિંતા-હાયવોયથી કાંઈ સરતું નથી. ફોગટ આર્તધ્યાન થઈ તિર્યંચગતિનાં પાપોનું ઉપાર્જન થાય છે. સારો ધર્મિષ્ઠ પણ જીવ આર્તધ્યાનમાં મરે તો એકવાર તો દુર્ગતિમાં ચાલ્યો જાય છે. જુઓ અહીં જરા ફરીવાર મરુભૂતિનો પ્રસંગ તપાસીએ. કંટાળશો નહિ, તીર્થંકરદેવનાં ચરિત્ર વારંવાર યાદ કરવા ગમે. આપણાં પોતાનાં ગુણગાન વારંવાર સાંભળવા ગમે છે ને ? પણ એ તો પાપ બંધાવે છે. પ્રભુનાં વારંવાર ગુણગાનથી કર્મક્ષય થાય છે.
પાર્શ્વનાથ ભગવાનનો જીવ મરુભૂતિ એટલે ? સુંદર શ્રાવકનાં વ્રતો પાળનારો, ધાર્મિક જીવન જીવનારો, ને પવિત્ર વિચારોમાં રમનારો ! ઉપરાંત દુષ્ટ ભાઈ કમઠના દુરાચાર અને ઉદ્ધતાઈ પર રાજાએ એને નગર બહાર કર્યો, તો “એના કષ્ટમાં પોતે નિમિત્ત બન્યો એ ખોટું થયું' માની એની ક્ષમા માગવા જનારો ! ... વિચારો, એ કેટકેટલો ઉંચો જીવ ! કેવો આદર્શ ધર્માત્મા શ્રાવક ! એની દુર્ગતિ થાય ? ના, ઉંચી સદ્ગતિ જ થાય. છતાં જ્યાં એ કમઠના પગમાં પડી ક્ષમા માગે છે ત્યાં કમઠે રોષથી એના માથા પર પત્થરની શિલા ઝીકતાં ભારે વેદનામાં એ ધર્માત્મા મરુભૂતિ આર્તધ્યાનમાં પડ્યો, “અરે ! હું આને ખમાવું છું. ને આ મને મારી નાખે છે ? હાય કેવી પીડા !” તો એ એવા આર્તધ્યાનમાં મરીને ત્યાંથી અટવીની હાથણીના પેટે હાથી તરીકેનો અવતાર પામ્યો ને ? તીર્થકરનો જીવ છે, વર્ષોનો ધર્માત્મા છે, છતાં દુર્ગાનને કોઈ શરમ પડે છે ? ના, વિના શરમે એ દુર્ગાને એને ઉંચકીને સદ્ગતિમાંથી ભ્રષ્ટ કરી દુર્ગતિમાં પટક્યો ! જીવનમાં, જો એકવાર પણ આવું દુર્બાન-હાયવોય કર્યાનું આ ફળ, તો જીવનભર એવું કર્યું જનારની કઈ દશા ? પછી ત્યાં બચાવ કરાય કે “સંયોગો એવા મળે ત્યાં એવું થાય એમાં અમારો શો વાંક ? અમે શું કરીએ ? તો એવો બચાવ કામ લાગે એમ છે ? કર્મ તો જાણે કહે છે - “બીજાના વાંકે પણ તે કેમ આર્તધ્યાન કર્યું? આર્તધ્યાન એ ગુનો છે, એ તારા ગુનાની સજા તું લઈ લે, પેલાને એના ગુનાની સજા મળશે, પણ તું તારી સજા ભોગવ.” એ સૂચવે છે કે
બીજાના વાંકે પણ આપણને આપણું મન બગાડવાનો અધિકાર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org