SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન (૨) સંસાર જ અનેક પ્રકારના લોભ, રોગ, ક્રોધ, માન વગેરે દોષો સેવરાવે છે. (૩) સંસાર જ હિંસા, જુઠ વગેરે દુષ્કૃત્યો સેવરાવે છે. (૪) સંસારના જ યોગે અઢળક વલોપાત અને આર્તધ્યાન થાય છે. (૫) સંસારમાં જ અશુભ કર્મો ઢગલાબંધ બંધાય છે. (૬) છેવટે, અંતસમય આવતાં સંસારની જ બધી વસ્તુના રાગના લીધે દુઃખનો પાર નથી રહેતો. અસારના શા વલોપાત કરવા? વલોપાત નહિ તો આર્તધ્યાન નહિ થાય. આર્તધ્યાન અટકાવવાનાં સાધન : (૧) ઈટાનિષ્ટના ઓછા રાગદ્વેષ, (૨) મન પર કાબુ, (૩) નાશવંતનું મહત્ત્વ ન આંકવું, (૪) ઈષ્ટને અનિષ્ટ માનવું, અનિષ્ટને ઈષ્ટ, (૫) ઈષ્ટની પ્રવૃત્તિ ઓછી કરવી અને (૬) સંસારની દરેકે દરેક વસ્તુની અસારતા ભાવવી. આ બધું કરતા રહેવાથી આર્તધ્યાન ઓછાં થાય અને પછી ધર્મપ્રવૃત્તિ વખતે એ બહુ ન પડે, તેથી શુભ ભાવમાં ચિત્તની સ્થિરતા રહે. એ શુભમાં સ્થિરતા રહે તો જ ધર્મ સાધ્યાનું સુંદર ફળ આવે, ભવની મંજીલ કપાય. શુભ ભાવની સ્થિરતા વિના ક્રિયા એકલી બિચારી શું કરે ? ધર્મક્રિયા તો મનને શુભ ભાવમાં રાખવાનું પરમ સાધન છે. પણ પેલાં આર્તધ્યાન શુભ ભાવને શાના ટકવા દે ? આવું ચલાવ્યે રાખવામાં જીવની કેવી કંગાળદશા ! કેવી સત્ત્વહીનતા ! કેવી બુદ્ધિહીનતા ! (૧) જીવ કંગાળ છે કે એ નાની નાની ઈષ્ટ-અનિષ્ટ વાતોને મહત્ત્વ આપે છે, (૨) જીવ સત્વહીન છે કે એ તુચ્છના વલોપાતને અટકાવી નથી શકતો, (૩) જીવ બુદ્ધિહીન છે કે એ વલોપાતનાં નુકસાનને સમજતો નથી, ને એ વલોપાત જતો કરવાની એને આવડત નથી. - ઈષ્ટ-અનિષ્ટ તો લલાટ સાથે લખાયેલાં છે. એટલે એનાં આર્તધ્યાન ઊઠતાં જ સાવધાન થવું જોઈએ, વિચારવું જોઈએ કે, પ્રેરક વિચારણા : આવી અસાર વસ્તુની ફજુલ ચિંતાથી મનને કાળું મેશ કરવા માટે મન નથી મળ્યું. પશુઓ અને અનાર્ય મનુષ્યો કરતાં વિશિષ્ટ કોટિનું મન મળ્યું છે કે, અવિનાશી પરમાત્માને સોપવા માટે મળ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy