SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૨ને ધ્યાન અને જીવન પાપબંધના કારણ? આ જીવ બિચારો એમાં કચરાઈ જશે !” અથવા “આ સોનેરી માલ કેવો ભગવાનને ભૂલાવનારો ! સત્સંગને ને ધર્મને કેવો ભૂલાવનારો ! એથી ઉત્તમ માનવભવનું એમાં કેવું લીલામ ?” અથવા “આ પૈસા મોટર બંગલા પાછળ કેવા ધૂમ પાપાચરણ ? કેટલા ઘમંડ ? કેટલી સુખશીલતા ? કેવા મહા આરંભ-જુઠ-માયા-પ્રપંચ ? આમ તત્ત્વથી વિચારવાથી ઈષ્ટ એ અનિષ્ટ લાગવાના. એમ અનિષ્ટ ગરીબી વગેરેમાં એ બધા દોષો નહિ, ને દેવ-ગુરુ-ધર્મની વિશેષ સગાઈ, તેથી ઈષ્ટ લાગવાની, આમ ઈષ્ટ ને અનિષ્ટ અને અનિષ્ટને ઈષ્ટ માનવાથી વિલોપાત ઘટી જશે. (૫) એક ઉપાય આ પણ છે કે ઈષ્ટને અનિષ્ટ માનવાથી બસ નથી કરવાનું, પરંતુ ઈષ્ટની પ્રવૃત્તિ ઓછી કરતા ચાલવું જોઈએ. બે મિનિટ બેઠા ન બેઠા ને પગ લાંબા કરવાનું ને ડાફોળિયાં મારવાનું મન થતું હોય, એમ નવરા પડ્યા વાતો કરવાની ખણજ રહેતી હોય, બજારમાં નીકળ્યા છે તે જોવાનું દિલ થતું હોય, ઈત્યાદિ ઈત્યાદિ બધું ઈષ્ટ કહેવાય. એમાં હવે કાપ મૂકતા ચાલવાનું, એ પ્રવૃત્તિ ઓછી કરતા રહેવાનું, એના પર અંકુશ જ મૂકી દેવાનો. (૬) ઈષ્ટની પ્રવૃત્તિ ઓછી કરતા ચાલો. દા.ત. ભાણા પર ચાર ચીજથી ચાલે એવું છે, તો વધારાની પીરસાયેલી ચીજ કાઢી નાખો, ન લો... એમ, અમસ્તા હરવા-ફરવા-મળવાનું બંધ કરો... દુનિયાનું જાણવાની આતુરતા જ ન રાખો... ડાફોળિયાંને બદલે આંખ મીંચી પ્રભુ દેખો. સમજી રાખો, વધુ જરૂરિયાત અને વધુ સગવડમાં આર્તધ્યાનને વધુ અવકાશ રહે છે. જેણે સગવડ ઓછી કરી, જરૂરિયાતો ઘટાડી, ઈષ્ટ કાપ્યાં, એણે એ વધુ ઈષ્ટના નિમિત્તે થતા આર્તધ્યાનને અટકાવ્યાં. (૭) આર્તધ્યાન-વલોપાત અટકાવવા એક ઉપાય એ, કે સંસારની અસારતા અને નિર્ગુણતા ખૂબ ખૂબ અને ભિન્ન ભિન્ન રીતે વિચારતા રહો. સંસારની એકેક બાબતમાં રહેલી અસારતા-નિર્ગુણતા શોધો, ને એને હૃદયમાં ખૂબ ઠસાવો. પછી એમાં સારો વેપાર, સારા પૈસા, સારું સેવાકારી કુટુંબ, વહાલી પત્ની, પ્રતિષ્ઠા, જડ ચીજવસ્તુ વગેરે વગેરે જે કાંઈ સંસારના ઘરનું છે એ દરેકે દરેકમાં ભારી અસારતા અને નિર્ગુણતા ભાવવાની. પ્રશ્ન થશે કે સંસારના ઘરની વસ્તુ અસાર કેમ? કારણ આ - (૧) એ જ પરમાત્માને ભૂલાવે છે, પરમાત્માની સારા પૈસા-શક્તિ-સમય ખર્ચીને સારી પૂજા કરવાનું એ ભૂલાવે છે. કેમકે એ બધું મનને સંસાર નભાવવા માટે જરૂરી મનાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy