________________
ન ધ્યાન અને જીવન | કે રાગ મટીને દ્વેષ, ને દ્વેષ મટીને રાગ, તેમ (૨) મહાત્માઓને રાગાદિ ઓછા થતા દેખાય છે તે ન બને, ત્યારે (૩) રાગ ન મટતો હોય તો મોક્ષ તો થાય જ શાનો ? વળી આપણને હમણાં એક વસ્તુ પર રાગ હતો તે મટીને એના પર જ દ્વેષ થાય છે. જો રાગ એ સ્વભાવ જ હોય તો ફેરફાર શાનો ? મહાવીર પ્રભુ વીતરાગ હતા એવું માનો છો ? જો હા, તો એમનો રાગ સ્વભાવભૂત હોત તો કેમ ઉડત? એ સ્વભાવ નથી. હા, અનાદિના ચાલ્યા આવે છે માટે સહેજે ઉઠતા દેખાય છે, ને લાગે કે અમારે રાગનો સ્વભાવ છે. રાગદ્વેષ કેમ દબાવાય??
પરંતુ જો (૧) એના પર સાચી સમજ, (૨) પરલોકનાં એનાં નુકસાનનો ભય, તથા (૩) જીવની એથી વર્તમાનમાં ય થતી કંગાળદશાની ધૃણા વગેરે ઊભી થાય, ને પંચ પરમેષ્ઠીને નજર સામે લવાય, તો એ રાગદ્વેષને દબાવવા સહેલા છે. રાગમાં ધૃણાનું દષ્ટાન્ત:
એક માણસને બે પત્ની, પણ નવી પત્નીના કહેવાથી જુનીને જુદું રસોડું આપ્યું. એકવાર એ ભાઈ બહારગામ ઉઘરાણીએ ગયેલો, ને મોડો બપોરે આવ્યો. જમવાનું માગે છે ત્યારે નવી રોફ-૨વાબથી કહે છે, “અત્યારે જમવાનું ? અહીં તો રસોડું સાફ થઈ ગયું.' પેલો કહે, “પણ તે ભૂખ્યો રહું?” “ના, જુઓને કોક વાર તમે કહો છો ને મારી જુનીની લાગણી-કાળજી સારી ? તો જાઓ એ જમાડશે.” પેલો ગયો જુની પાસે, જુનીએ એને આવકાર્યો વધાવ્યો, જમવા બેસાડ્યો. પરંતુ આ ભાઈને ભાવતું નથી, તે મોં બગાડીને કહે છે, “આ શું આવડે છે તને રાંધવાનું ? રસોઈમાં માલ નથી. જા નવીના હાથનું કાંક શાક-બાક લઈ આવ તો આ ગળે ઉતરે.'
જુની આવીને નવીને વાત કરીને કહે છે, “કાંઈક તારા હાથનું શાક જેવું હોય તે આપ.” પેલી કહે, “અહીં તો કાંઈ છે જ નહિ.” “અરે ! ન હોય તો કરી આપ. આ એમને રોટલો ગળે નહિ ઉતરે.' ત્યારે નવી છણછણ કરતી ઊઠીને ગઈ પાછલી વંડીમાં. ત્યાં વાછડીનું દાણાવાળું છાણ લઈ આવી ! કડછીમાં એને તેલથી વઘારી મસાલો નાખીને આપ્યું ! જુની ચમકીને કહે, “અરે ઘેલી ! ધણીને આવું તે ખવડાવાય?' ત્યારે આ કહે, “તું તારે લઈ જા ને. ન ખાય તો મારું નામ કાઢી નાખજે.”
જુની એ લઈ ગઈ, આપ્યું, પેલો મૂઢ એને રોટલાના બચકા પર મૂકી મૂકી હોંશે હોંશે ખાય છે ! ખાઈને પછી કહે છે, “જોયું ? આનું નામ રસોઈ કહેવાય. કેવું સરસ શાક ? તને ભદીને શું આવડે છે ?” ત્યારે જુની કહે, “હવે કહ્યું તમે શું ખાધું ? આ શાક નહિ. પણ વાછડીનું છાણ એણે રાંધી આપ્યું. મેં ના કહી, તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org