________________
ન ધ્યાન અને જીવન - ગફલત, સીવવામાં ક્યાંક ઠીક ક્યાંક નહિ, કપડાનું પોત, રંગ, મુલાયમતા યા અક્કડતા. પ્રમાણમાં માપસરતા કે નહિ, ક્યાં ય ડાઘ નહિ તો ક્યાંક ડાઘો,... વગેરે વગેરે કેટલું ય ઈષ્ટ-અનિષ્ટ લાગે છે ! આ હિસાબે જીવન પ્રસંગમાં આવતી ઢગલાબંધ વસ્તુઓમાં ઈષ્ટ અનિષ્ટનાં માપ ગણ્યા નહિ ગણાય. બસ, મનને રાગ-દ્વેષવશ ઈષ્ટ-અનિષ્ટ લગાડ્યા એટલે હવે “એ આવો, જાઓ, ટકો, ના આવો”, એવા ભાવ થયા જ કરવાના ! એમાં જ્યાં ક્ષણ પણ મન સ્થિર થયું કે એ આર્તધ્યાન બની ગયું. ત્યારે એકેક દિવસમાં ઢગલાબંધ ઈષ્ટ-અનિષ્ટ બનવાની અપેક્ષાએ આર્તધ્યાન કેટલા ? અરે ! પોતાના જીવનને જરાય નહિ સ્પર્શનારી એવી માત્ર નજરે ચડતી, કે છાપામાં વાંચવા મળતી, યા સાંભળવામાં આવતી બહારની વસ્તુ અંગે પણ વારંવાર આર્તધ્યાન આવી જાય છે. ત્યારે આર્તધ્યાનનું ફળ ? સમયે સમયે તિર્યંચગતિને યોગ્ય અનેકાનેક ઢગલો અશુભ કર્મ જ બાંધ્યા કરવાના ને ? સવારથી સાંજ પડ્યે એવા કેટલીકવાર અને કેટકેટલા કર્મબંધ ? ફરીથી યાદ કરો, ઉત્તમ માનવજીવન અને માનવ મનથી શું આ જ કરવાનું?” જીવના વલોપાત :
વલોપાતિયા અજ્ઞાની મૂઢ મૂર્ણ જીવને ભાન નથી કે “કશી જરૂર વિના ફોગટિયાં આર્તધ્યાનથી હું અશુભ કર્મોને નોતરું છું !” ધોયેલું કપડું પહેરવા કાર્યું
ત્યાં મનને થાય છે - “ઈસ્ત્રી બરાબર નથી થઈ.” ઈસ્ત્રી બરાબર છે તો એમ વિચારે છે, “ચળકી સફેદાઈ ક્યાં છે?” બૂટ પહેરવા લીધા તો લાગે છે – “પોલીશ બરાબર નથી. આ કેમ ચાલે ?” આવા ને આવા કેટલાય વલોપાત કરનાર જીવને દેહરામાં ઘાલો તો ત્યાં ય એનું ચિત્ત શાંત રહે ? ત્યાં ય આર્તધ્યાનથી બચે ? તમે કહો છો ને કે “અમને દેરાસરમાં, ક્રિયામાં, નવકારવાળીમાં, ચિત્ત કેમ સ્થિર નથી રહેતું ?' ક્યાંથી રહે ? બહારમાં વલોપાત અને આર્તધ્યાનના ખૂબ અભ્યાસથી એના જાલિમ સંસ્કારોથી વાસિત બનેલું મન એ સંસ્કારોવશ એવા વલોપાતિયા વિચાર કેમ ન કરે ? દેરાસરમાં, માળા ગણવામાં, ધર્મક્રિયા કરવામાં, વીતરાગદેવનું સ્વરૂપ, પંચપરમેષ્ઠીનું સ્વરૂપ, ક્રિયાના મહામર્મ વગેરેમાં ચિત્તને ઓતપ્રોત કરવું નથી, પછી ત્યાં ય જડ ઈષ્ટ અનિષ્ટ કલ્પનારું મન આર્તધ્યાનમાં કેમ ન પડે? માટે બહારના વલોપાત ઓછા કરો. ત્યારે સવાલ થાય કે બહારની ચિંતા-વલોપાત શી રીતે ઓછા કરવા?
(૧) એ માટે પહેલું આ કરવું પડશે કે બહારના ઈષ્ટ-અનિષ્ટ, ગમતા-અણગમતા પદાર્થ પર રાગ દ્વેષ ઓછા કરવા. “રાગ દ્વેષ કાંઈ કર્યા થાય છે ? એ તો એમજ સહેજે થઈ જાય છે - એવું કહેતા નહિ, કેમકે રાગાદિ એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. સ્વભાવ હોય તો તો (૧) એમાં પલટા થાય નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org