________________
ધ્યાન અને જીવન
પર લાગે, એટલે આર્તધ્યાન ઊભું થયું જ સમજો. ખૂબી પાછી એ, કે એ વર્તમાન અંગે થાય, એમ ભૂતકાળની અને ભવિષ્યકાળની વસ્તુ અંગે પણ થઈ શકે. ભૂત-ભવિષ્યના આર્તધ્યાન ઃ સંયોગની એકરસતા ભૂંડી.
૧૧૬
ત્યારે વિચારો કે સંસારમાં રહેલા અને અજ્ઞાનતાથી ઈષ્ટ-અનિષ્ટ સંયોગમાં, દૂધમાં સાકરની જેમ, એકરસ થઈ ગયેલા જીવને કેટલી કઠણાઈ છે ! જીવની સંયોગમાં એકરસતા ભૂંડી. એ બિચારો ભૂતકાળના કે ભવિષ્યના બનાવો અંગેના પણ આર્તધ્યાનથી બચી શકતો નથી ! બની ગયેલી વાત અંગે વર્તમાનમાં છે કાંઈ લેવા-દેવા ? ના, કશી નહિ, પણ ભલેને ન હોય લેવા-દેવા, તો ય રાગ-દ્વેષના લીધે ઈષ્ટ-અનિષ્ટ ગમતા-અણગમતાની કલ્પનાવાલું મન જપીને બેસતું નથી, અતીતના આર્તધ્યાનમાં ચડે છે ! દા.ત. મનને એમ થાય કે પૂર્વે નોકર સારો મળ્યો હતો, કિન્તુ એ દેશમાં ચાલી ગયો. ન ગયો હોત તો ઠીક રહેતું.'' હવે કહો આ ભૂતકાળની ઘટનાને હાલ શું લાગેવળગે છે ? નોકર કાંઈ આ વિચારવાથી આવવાનો નથી, છતાં એ ઈષ્ટના અવિયોગનું આર્તધ્યાન કર્યા વિના નથી રહેવાતું. એમ * “પહેલાં, બીજું બધું તો ઠીક મળેલું, પરંતુ એક સારો નોકર જો મળી ગયો હોત તો ઠીક રહેત.' આ પણ ભૂતકાળના ઈષ્ટ સંયોગ અંગે આર્તધ્યાન છે. એવું ભૂતકાળના અનિષ્ટના વિયોગ કે અસંયોગ અંગે પણ બને. દા.ત. ‘પૂર્વે નોકર ખરાબ મળેલો, પરંતુ એવો કે એ ચિટકી પડેલો, ખસે જ નહિ. ટળ્યો હોત તો સારું રહેત', અથવા ‘નોકર દેશમાં ગયેલો. પણ પાછો આવ્યો, ન આવ્યો હોત તો ઠીક રહેત.' અત્યારે એને કોઈ સંબંધ નથી, છતાં યાદ આવવાથી મન આર્તધ્યાનમાં પડે છે. * ‘નાનપણમાં મા મરી ગયેલી, ન મરી હોત તો આપણે સારું રહેત.' અત્યારે આ વસ્તુને શો સંબંધ છે ? કશો નહિ. મરેલી મા કાંઈ પાછી આવે એમ નથી. પણ ભૂતકાળના ય ઈષ્ટના અવિયોગનું આર્તધ્યાન રાંક જીવ અત્યારે ય કરે છે.
*
માનવજીવન અને માનવમનથી આ જ કરવાનું ? : ઈષ્ટ-અનિષ્ટ કેટલાં ? :
આમ વર્તમાન, ભૂત કે ભવિષ્યના ઈષ્ટ સંયોગ કે અનિષ્ટવિયોગ, ઈષ્ટ ટકાવ કે અનિષ્ટ અનાગમન અંગેનાં આર્તધ્યાન જો થતા રહે છે, તો એ માપ કાઢો કે દિવસભરમાં અને રાત્રિના નવરા પડ્યા પડ્યા કેટલી રકમનાં આર્તધ્યાન થયાં કરે છે ? મોંધેરા માનવજીવન અને માનવમનથી આ જ કરવાનું ? પહેલું તો એ તપાસો કે જીવને ઈષ્ટ-અનિષ્ટ કેટલાં ? એક મોટું લિસ્ટ કર્યે ય નહિ પહોંચાય. ઈષ્ટ માનેલી એકેક વસ્તુમાં ય અનેકાનેક ઈષ્ટાનિષ્ટ હોય છે. સાફ ધોયેલું કપડું પહેરવા લીધું એ ઈષ્ટ છે. પરંતુ નવા કરતાં આ વપરાયેલાની સફેદાઈ અનિષ્ટ લાગશે. એમાં ક્યાંક બરાબર ઈસ્ત્રી ને ક્યાંક નહિ, વાળવામાં રહી ગયેલ ક્યાંક
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International