SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૧૧૫ રાજર્ષિએ બે-ત્રણ વાર કહ્યું, બુઝ્ઝ બુલ્ઝ મરુભૂતિ !' એ સાંભળતાં હાથીને પૂર્વજન્મનું સ્મરણ થયું, નમી પડ્યો, સમ્યકત્વ સહિત શ્રાવકનાં વ્રત લીધાં ! હવે જુઓ ધ્યાનનો ચમત્કાર. હાથી વ્રતો પાળે છે. એમાં એકવાર તરસ્યો થયેલો, એ કાવિયા તળાવમાં પાણી પીવા જાય છે, પણ ત્યાં ઊંડી ગારમાં ખૂંચી ગયો, નીકળી શકતો નથી. પેલો કમઠ મરીને અહીં જળચર સર્પ થયેલો, તે આવીને વૈરના સંસ્કારથી હાથીના મસ્તક પર ચડી જઈ ડંસ મારે છે. કારમી પીડા ઉપજી ! પરંતુ હવે તો પૂર્વભવે વેદનામાં ધ્યાન બગાડ્યાનું ફળ આ તિર્યંચગતિ નજર સામે છે, એટલે વેદનામાં આર્તધ્યાન ન કરતાં કર્મવિપાકનાં ધર્મધ્યાનમાં ચડે છે ! - ‘અહો ! આ પીડા એ તો મારાં જ પાપ કર્મનો ઉદય છે. તો દ્વેષ પાપ પર કુરું, બિચારા સર્પ પર શો દ્વેષ કરવો ? કર્મના વિપાક અકાટ્ય છે, અવશ્ય ભોગવવાં પડે છે. પરંતુ એ કર્મો મેં જ ભૂલ કરીને ઉપાર્જેલાં છે, તો મારે ભોગવવા જ જોઈએ. તેમજ એ ભોગવવાથી કર્મકચરો સાફ થાય છે, તો ખેદ શા માટે કરું ?' ......એમ કર્મ વિપાકનું ધર્મધ્યાન પકડી રાખ્યું અને મરીને એ દેવલોકમાં જન્મ્યો ! મરણાન્ત કષ્ટ બંને ભવમાં આવ્યું, પરંતુ ક્રમશઃ અશુભ અને શુભ ધ્યાન પર તિર્યંચગતિ અને દેવગતિ મળી. ધ્યાનનો આ ચમત્કાર છે કે, અશુભ ધ્યાન માનવ જેવાને ય તિર્યંચ બનાવે ! ત્યારે શુભ ધ્યાન તિર્યંચને ય દેવ બનાવે ! માટે કદી ય ધ્યાન બગાડવું નહિ, પછી ભલે બાહ્ય સંયોગો ગમે તેવા બગડ્યા હોય, પ્રસન્નચંદ્ર રાજર્ષિની આરાધના-ગાડી મોક્ષ તરફ ધપી રહી હતી, પરંતુ ધ્યાન બગાડ્યું તો નરકનાં ભાતાં ભેગા કરવા માંડ્યા અને જ્યાં ધ્યાનમાં સુધારો કર્યો, પશ્ચાત્તાપના ધોધમાં નાહ્યા, તો સ્વર્ગનાં પુણ્ય ને યાવત્ કેવળજ્ઞાન ઉપાર્જ્યું. બગડવામાં નિમિત્ત હતું માત્ર અમુક શબ્દ-શ્રવણ, શબ્દ-સંયોગ. પણ તેની ચિંતા પ૨વા જયાં મૂકી કે ધ્યાન સુધરવા માંડ્યું. બાહ્ય સંયોગને મહત્ત્વ ન આપો તો આર્તધ્યાનથી બચાય. આર્તથી બચવાની આ ચાવી - બાહ્યને અકિંચિત્કર લેખવા. આ જગતના જીવનમાં ઈષ્ટ કે અનિષ્ટ સંયોગ તો મળતા રહેવાના, પરંતુ જો એને મહત્ત્વ આપ્યું અને એના પ્રત્યે રાગ-દ્વેષમાં એવા ચડ્યા કે - ‘આ ઈષ્ટ મળે તો સારું', મળેલા ટકી રહો, અનિષ્ટ ન આવો, આવેલા જાય તો સારું', આવી અર્તિમાં યાને પીડામાં પડ્યા કે આર્તધ્યાન લાગ્યું. અર્તિમાંથી થાય તે આર્તધ્યાન એટલે મનનું પ્રણિધાન, મનની ચોંટ, મન તન્મય કે કેન્દ્રિત. એ અર્તિવાળું માટે આર્તધ્યાન કહેવાય. ઈષ્ટનું ય આર્તધ્યાન અને અનિષ્ટનું ય આર્તધ્યાન, માત્ર રાગ કે દ્વેષથી મન એના પર કેન્દ્રિત થવું જોઈએ, મન તન્મય થાય, મનની ચોંટ એના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy