SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ધ્યાન અને જીવન કે અશુભ ?' આત્મા એક વસ્ત્ર સમાન છે અને કષાયના ભાવ એ ચિકાશ રૂપે છે. વસ્ત્રની ઉપર તેલની ચિકાશ હોય તો વાતાવરણમાંથી તરત જ રજ ખેંચાયા કરવાની, ચોંટ્યા કરવાની. એમ કષાયના ભાવની ચિકાશને લીધે આત્મા પર કર્મરજ ખેંચાઈ ચોંટ્યા કરે છે. જેવી ચિકાશ તેવો બંધ. ભારે ચિકાશથી ઘોર કર્મબંધ. એમાં ઉધારો નહિ. ભાવ થવાની સાથે જ બંધ. દિનભર અશુભ ભાવો અને અશુભ ધ્યાન ચાલ્યા કરતા હોય, તો દિનભર અશુભ કર્મો બંધાયા જ કરવાના. ત્યાં કોઈની શેહશરમ ન પડે, ઓઘો (મુનિનું રજોહરણ) અને ચાંલ્લો બાજુએ રહી જાય, મંદિર અને ઉપાશ્રય કે ધર્મક્રિયા એમજ ઊભા રહી જાય, માનપત્ર ને મેળાવડા ય એમજ ચાલ્યાં કરે અને જીવ અશુભ ભાવમાં ચડ્યો પાપકર્મો બાંધ્યા જ કરે, સમયે સમયે બાંધે. મરુભૂતિ ક્યાં ભૂલ્યો ? : જુઓ, મરુભૂતિ એ પાર્શ્વનાથ તીર્થંકરનો જીવ હતો. જન્મે બ્રાહ્મણ છતાં જીવનમાં સુંદર શ્રાવકધર્મ પાળતો હતો, પરંતુ આયુષ્ય કર્મ બાંધવા ટાણે જ ભૂલો પડ્યો, તે આર્તધ્યાનમાં ચડ્યો, તો તિર્યંચગતિનું આયુષ્ય બાંધી મરીને તિર્યંચ થયો ! આમ જુઓ તો ગુન્હો ભાઈ કમઠનો. એ મરુભૂતિની પત્ની સાથે પ્રેમમાં પડેલો. મરુભૂતિને એની જાણ થતાં એણે રાજા દ્વારા શિખામણ આપવાનું કર્યું. પરંતુ શાંતિથી શિખામણ આપતા રાજા સામે ય કમઠ એલફેલ બોલ્યો, તેથી રાજાએ એને નગર બહાર કાઢી મૂક્યો. એ રોષમાં તાપસ થયો. પાછળથી મરુભૂતિને પસ્તાવો થયો કે ‘અરેરે ! મારા નિમિત્તે ભાઈ બિચારો કષ્ટમાં મૂકાયો', તેથી પોતે એની ક્ષમા માગવા ગયો. કમઠને તો ભારે રોષ છે કે ‘આ ભાઈએ જ મને આ કષ્ટમાં મૂક્યો !' એટલે જેવો મરુભૂતિ એના પગમાં પડી માથું નમાવી હૃદયથી ખમાવે છે, કે તરત કમઠે પાસે પડેલી પત્થરની શિલા એના મસ્તક પર પછાડી. અહીં મરુભૂતિનું સુંદર શ્રાવકધર્મનું પાલન બાજુએ રહી ગયું અને શિલાના આઘાતથી વેદનાના આર્તધ્યાનમાં મરીને ગયો વિંધ્યાચળની અટવીની હાથણીના પેટમાં હાથી તરીકે ! પાપબંધ અને દુર્ગતિને સારા શ્રાવકની પણ ક્યાં શરમ રહી ? જંગલી તોફાની હાથીનો અવતાર મળ્યો ! પ્ર. - તો શું અહીં કરેલો ધર્મ બધો નકામો ? ઉ. ના, નકામો નહિ, એનાં રુડાં ફળ હવે આગળ જોવા મળશે. મરુભૂતિના એવા મૃત્યુથી રાજાને વૈરાગ્ય થઈ ગયો, ચારિત્ર લઈ ભારે તપ-સ્વાધ્યાય-ધ્યાનમાં ચડ્યો, ને અવધિજ્ઞાન (દિવ્યજ્ઞાન) ઉપાર્જ્યું ! એકવાર કોઈ સાથેની સાથે રાજર્ષિ એ જ જંગલમાંથી પસાર થઈ રહ્યા છે, ને હાથી ત્યાં સાર્થની સામે તોફાને ચડ્યો. લોકોની ભાગાભાગ થઈ, પણ રાજર્ષિ અવધિજ્ઞાનથી એને ઓળખી દયાથી ત્યાં જ ઊભા રહી ગયા. એમની પાસે આવતાં હાથી નરમઘેંસ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy